Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વરના બાગોમાં ગૌરીવ્રત નિમિત્તે ફક્ત બહેનોને જ એન્ટ્રી …!

Share

તા.21 મી જુલાઇથી તા. 25 મી જુલાઇ સુધી અલૂણાં એટ્લે કે ગૌરીવ્રતનો તહેવાર માનવમાં આવી રહ્યો છે જેમાં કુંવારીકાઓ સહિત નવ વધુઓ વ્રત કરીને સૂકો મેવો જેવા કે કાજુ, અખરોટ, બદામ જેવા મેવા ખાઇને પોતાનો ઉપવાસ કરતાં હોય છે વ્રતના પાંચ દિવસ મહિલાઓ માટે ખાસ માનવમાં આવે છે.

જેથી અંકલેશ્વર શહેરમાં બાળાઓ અને મહિલાઓ છૂટથી આ પાંચ દિવસને માની શકે તે માટે બાગોમાં ફરવાની ખાસ સુવિધા આપવામાં આવી છે. દર વર્ષે ગૌરી વ્રત નિમિતે મેળાઓનો અવસર આવતો હોય છે પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે મેળા જેવા ભીડવાળા સ્થળો પર પ્રતિબંધ લાગવામાં આવી રહ્યા છે.

જેથી બાગોમાં પણ ભીડભાડ ન થાય તે માત્ર મહિલા અને બાળાઓ માટે બાગો ખુલ્લા સખવાની સવલત આપવામાં આવી, 10 કે તેથી વધુ વયના પુરષોને પાંચ દિવસ સુધી બાગોમાં આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Advertisement

અંકલેશ્વર શહેર નગરપાલિકાના બહાર પડેલ જાહેરનામા અંતર્ગત તા-૨૧/૭/૨૦૨૧ થી તા-૨૫/૭/૨૦૨૧ સુધી જવાહર બાગ, સિનિયર સિટીઝન (સ્ટેચ્યુ પાર્ક) અને પરસોતમ બાગને ફક્ત મહિલાઓ માટે ખુલ્લો મૂકવામાં આવશે.

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

દશુ તો ગયો…અંકલેશ્વરના હજાત ગામના કુખ્યાત બુટલેગરનો લાખોની કિંમતનો દારૂનો જથ્થો ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ધનતેરસ પર્વની ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરાઇ.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લા આયોજન મંડળ દ્રારા આગામી વર્ષ માટે રૂ. ૧૦૦૩.૩૫ લાખના વિકાસકીય કામો સર્વાનુમતે મંજૂર કરાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!