Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર : જીતાલી ગામની સીમમાં હાઇટેનશન વીજ કરંટ લાગતા ચાર ગાયોના મોત.

Share

અંકલેશ્વર શહેરના ગાર્ડનસિટી પાછળ આવેલ જીતાલી ગામની સીમમાં ગાયો ઘાસ ચરવા આવતા હાઇટેનશનના પાવરથી વીજ કરંટ લગતા ચાર જેટલી ગાયો તરફડીયા ખાઈ અને થોડી જ ક્ષણોમાં ચારેય ગાયોના મોત નિપજ્યાં હતા.

બનાવ અંગે મળતી મળતી માહિતી અનુસાર આજરોજ સવારના સમયે અંકલેશ્વર શહેરના ગાર્ડનસીટીની પાછળ આવેલ જીતાલી ગામના એક ખુલ્લી જ્ગ્યામાં ચાર જેટલી ગાયો ઘાસ ચરવા જઈ રહી હતી તેની બિલકુલ ઉપરથી હાઇટેનશનના તાર પસાર થઈ રહ્યા હતા જેમાં તેની બરોબર નીચે ગાયો ઘાસ ચરી રહી હતી આચાનક વીજના પ્રવાહ વધતાં ચારેય ગાયોને વીજ કરંટ લાગ્યો હતો.

Advertisement

તેવામાં ગાય ચરાવનાર ત્યાં જ ઉપસ્થિત હતો તેના જણાવ્યા મુજબ ગાયોને કરંટ લાગતા ચારેય ગાયો જમીન પર પડી ગઈ હતી અને જોત જોતામાં તેઓના મોત નિપજ્યાં હતા અને ગામમાં ચકચાર મચી જવા પામ્યો હતો જેથી ગૌધણીએ રૂપિયા 2 લાખ ઉપરાંતની પશુધનની નુકશાનીની તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જે અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી અને આગળની વધુ તપાસ હાથ ધરી હતી.


Share

Related posts

સ્પેશિયલ કોવિડ સ્મશાનથી ભરૂચિઓ માટે રાહતનાં સમાચાર, છેલ્લા ત્રણ દિવસથી સ્મશાનમાં મૃતદેહની સંખ્યામાં 50% નો ઘટાડો…

ProudOfGujarat

પોલીસ ડ્રાઈવમાં ડ્રીંક એન્ડ ડ્રાઈવના કેસોમાં અમદાવાદ અને સુરત મોખરે, સપ્તાહમાં 2700 થી વધુ કેસો નોંધાયા

ProudOfGujarat

ઓલપાડ તાલુકામાં માનસિક ક્ષતિ ધરાવતાં દિવ્યાંગ બાળકો માટે ઓનલાઇન આરતી શણગાર સ્પર્ધાનું સફળ આયોજન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!