Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વર : સુરતી ભાગોળ રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં એક બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન.

Share

ગત રોજ અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં તસ્કરોએ બંધ મકાન નિશાન બનાવ્યું છે. ઘરમાંથી સોનાના ઘરેણાં અને રોકડા 36 હજાર મળી કુલ 1 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા જીગ્નેશ હસમુખભાઈ પટેલ અને તેઓના માતા-પિતા ત્રણેય નોકરી પર ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને સોનાના ઘરેણાં તેમજ રોકડા 36 હજાર મળી કુલ 1 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે મકાન માલિક જિગ્નેશભાઈ હસમુખ ભાઈ પટેલે શહેર પોલીસને ફરિયાદ નોંધાવી હતી અને અંકલેશ્વર શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા ભાજપના હોદ્દેદારો દ્વારા જંબુસર ખાતે આકાર પામનાર બલ્ક ડ્રગ પાર્કના સ્થળની તેમજ પ્રધામંત્રીના સંભવિત જાહેર સભા સ્થળ માટે મુલાકાત.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના રાણીપુરા ગ્રામ પંચાયતની ચુંટણીમાં સમરસ પેનલ વિજયી.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં ઝધડીયા, અંકલેશ્વર તાલુકાનાં નર્મદા નદીનાં કિનારાની નજીક રહેતા ગામનાં લોકોએ ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી પોતાની સમસ્યા જણાવી જાણો કઈ ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!