Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વર : સુરતી ભાગોળ રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં એક બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન.

Share

ગત રોજ અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં તસ્કરોએ બંધ મકાન નિશાન બનાવ્યું છે. ઘરમાંથી સોનાના ઘરેણાં અને રોકડા 36 હજાર મળી કુલ 1 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા જીગ્નેશ હસમુખભાઈ પટેલ અને તેઓના માતા-પિતા ત્રણેય નોકરી પર ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને સોનાના ઘરેણાં તેમજ રોકડા 36 હજાર મળી કુલ 1 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે મકાન માલિક જિગ્નેશભાઈ હસમુખ ભાઈ પટેલે શહેર પોલીસને ફરિયાદ નોંધાવી હતી અને અંકલેશ્વર શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર : નસવાડી તાલુકાના ઘુટિયાઆંબા ગામની સગર્ભા મહિલાનું 9 માસનું બાળક ગુમ થયુ હોવાનો આક્ષેપ કરતા પરિવાર અને ગ્રામજનો.

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગ ગ્રામપંચાયત દ્વારા બાકી પડતા વિજ બિલનાં નાણાં ભરતાં સ્ટ્રીટ લાઇટો પુન: શરૂ થતાં ગ્રામજનોએ રાહત અનુભવી.

ProudOfGujarat

અંકલેશ્વર શહેરનાં ત્રણ રસ્તા સર્કલ અને ONGC કંપનીની ઓફિસ નજીક બેસતા શાકભાજીવાળાઓ ટ્રાફિકની અડચણરૂપ થતાં પોલીસ અને પાલિકાની ટીમે લારી પાથરણા દૂર કરતાં વિવાદ ઊભો થયો છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!