Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વર : સુરતી ભાગોળ રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં એક બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન.

Share

ગત રોજ અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં તસ્કરોએ બંધ મકાન નિશાન બનાવ્યું છે. ઘરમાંથી સોનાના ઘરેણાં અને રોકડા 36 હજાર મળી કુલ 1 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા જીગ્નેશ હસમુખભાઈ પટેલ અને તેઓના માતા-પિતા ત્રણેય નોકરી પર ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને સોનાના ઘરેણાં તેમજ રોકડા 36 હજાર મળી કુલ 1 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે મકાન માલિક જિગ્નેશભાઈ હસમુખ ભાઈ પટેલે શહેર પોલીસને ફરિયાદ નોંધાવી હતી અને અંકલેશ્વર શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

વડોદરા સુગર સામે ઉપવાસનાં અંતિમ દિવસે હાર્દિક પટેલે ઉપવાસી ખેડુતની મુલાકાત લઈ સરકાર સામે રણટંકાર કર્યો.

ProudOfGujarat

રાજપીપળા : જાહેર જનતાને વોકીંગ માટે સ્પોર્ટસ કોમ્પલેક્ષ-ધાબાગ્રાઉન્ડ મંગળવારથી ખુલ્લુ મૂકાયું.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં અકસ્માતના બે અલગ અલગ બનાવમાં બે ના મોત,1 ઘાયલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!