Proud of Gujarat
GujaratFeaturedINDIA

ડીસામાં લવ જેહાદ મામલે યોજાયેલી રેલીમાં લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ.

Share

ડીસામાં લવ જેહાદની ઘટના બાદ આજે નિકળેલી રેલીમાં ટોળાને વિખેરવા માટે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. વિવિધ સંગઠનો અને વેપારીઓએ બંધને સમર્થન આપ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં લોકો જોડાઇ વિધર્મી સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી.

ઘટના પગલે પોલીસે લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો હતો. ડીસાના હીરાબજાર નજીક સૂત્રોચ્ચાર કરી રહેલા લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતા પોલીસ દ્વારા ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો. ઘર્ષણમાં એક યુવકને માથાના ભાગે ગંભીર ઇજા પણ પહોંચી હતી. પોલીસે સૂત્રોચ્ચાર કરી રહેલા લોકોની અટકાયત કરી છે. ઘર્ષણના પગલે પોલીસે કડક કાર્યવાહી કરવાના આદેશ પણ આપ્યા છે. હીરા બજાર પાસે પોલીસ લાઠી ચાર્જમાં એક યુવકના માથાના ભાગે ઈજા પહોંચતા તેને ડીસા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.

Advertisement

તાજેતરમાં જ ડીસા જિલ્લાના માલગઢ ગામની અંદર ધર્માતરણનો મામલો સામે આવ્યો હતો. જેમાં પરીવાર પાછો સોંપવા માટે 25 લાખની માંગણી કરાતાં પરિવારના મોભીએ આપઘાતનો પ્રયત્ન કર્યો હતો. જેથી આ મામલે લોકો ઉગ્ર બન્યા હતા. જોકે પોલીસે કેટલા આરોપીઓની ધરપકડ પણ કરી હતી. ખાસ કરીને ધર્મ પરીવર્તન કરેલ પરીવાર મળી ના આવતા સમગ્ર જિલ્લામાં હિન્દુ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.


Share

Related posts

નર્મદા જિલ્લાની તમામ સરકારી કચેરીઓ ખાતે અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું

ProudOfGujarat

ટ્વિટર પર આવ્યું અમેઝિંગ ફીચર, હવે એક ક્લિકમાં કરી શકશો વીડિયો ડાઉનલોડ

ProudOfGujarat

રાજપીપળા : ગોરા ગામ ખાતે ૧૫ કરોડના ખર્ચે નર્મદા ઘાટ બનાવવાની કામગીરી પૂર્ણતાને આરે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!