Proud of Gujarat
FeaturedGujaratINDIALifestyleUncategorized

વિકાસ થશે કે નહિ એ તો ખબર નહિ પરંતુ જીવન મોંઘુ થશે : હવે તો બેંકમાં પૈસા ઉપાડવા-જમા કરાવવાનો પણ ચાર્જ લાગશે

Share

હવેથી બેન્કોમાં અકાઉન્ટ ધરાવનારાઓએ પોતાનાં ખિસ્સાં હળવા કરવા તૈયાર થઇ જવું પડશે, કારણ કે ૨૦ જાન્યુઆરીથી બધી જ બેન્કસ પોતાની સર્વિસિસ બદલ પોતાના ગ્રાહકોને ચાર્જ કરશે. ૨૦ જાન્યુઆરી બાદ બેન્કસ પોતાની વિધડ્રોઅલ ડિપોઝિટ, KYC,સરનામું કે ફોનનંબર બદલવા, ચેકબુક રિકવેસ્ટ જેવી તમામ સર્વિસિસ માટે ગ્રાહકો પાસેથી પૈસા વસૂલ કરશે.

આ બધી જ સર્વિસિસ જે અત્યાર સુધી મફત હતી એ માટે હવે ગ્રાહકોએ પૈસા ચૂકવવાના રહેશે. નવા ચાર્જિસનો અમલ ૨૦ જાન્યુઆરીથી કરવામાં આવશે અને તમે જે સર્વિસનો ઉપયોગ કર્યો હશે એના પૈસા ઓટોમેટિકલી તમારા બેન્ક-અકાઉન્ટમાંથી ડેબિટ થઇ જશે. આ ઉપરાંત તમે જે બ્રાન્ચમાં અકાઉન્ટ ખોલાવ્યું હોય એ મૂળ બ્રાન્ચ સિવાયની બ્રાન્ચમાં કરેલા બેન્ક-વ્યવહાર (ટ્રાન્ઝેકશન) બદલ અલાયદી ફી વસૂલ કરવામાં આવશે. પ્રાઇવેટ અને નેશનલાઇઝડ આમ તમામ બેન્કો નવેસરથી ચાર્જનો અમલ કરશે અને એમાં ૧૮ ટકા GSTનો પણ સમાવેશ કરવામાં આવશે.

Advertisement

આ વાતની પુષ્ટિ તમામ સિનિયર બેન્ક અધિકારીઓએ કરી હતી.(૧.૧) સર્વિસ  હાલ વસૂલાતો ચાર્જ પ્રસ્તાવિત ચાર્જ

કેશ વિધડ્રોઅલ – કોઇ ચાર્જ નહી પ્રતિ ટ્રાન્ઝેકશન ૧૦ રૂપિયા (ઓટો ડેબિટ)

કેશ ડિપોઝિટ – કોઇ ચાર્જ નહી  ૫૦,૦૦૦ રૂપિયાથી વધુ રકમ માટે પ્રતિ હજાર રૂપિયે ૨.૫૦ રૂપિયા

પાસબુક અપડેટ – કોઇ ચાર્જ નહી પ્રત્યેક સ્ટેટમેન્ટ માટે ૧૦ રૂપિયા

બેલેન્સ સ્ટેટમેન્ટ – કોઇ ચાર્જ નહી  દરેક સ્ટેટમેન્ટ માટે ૨૫ રૂપિયા (ઓટો ડેબિટ)

ચેકબુક રિકવેસ્ટ – કોઇ ચાર્જ નહી  પ્રતિ રિકવેસ્ટ ૨૫ રૂપિયા (ઓટો ડેબિટ)

સિગ્નેચર વેરિફિકેશન – કોઇ ચાર્જ નહી  પ્રતિ રિકવેસ્ટ ૫૦ રૂપિયા

DD,PO,ECS ઇશ્યુ – કોઇ ચાર્જ નહી  પ્રત્યેક રિકવેસ્ટ માટે ૨૫ રૂપિયા

ચેક ડિપોઝિટ –  કોઇ ચાર્જ નહી  પ્રત્યેક ચેક અને સ્પીડ કિલયરિંગ માટે ૧૦ રૂપિયા

ઇન્ટરેસ્ટ સર્ટિફિકેટ – કોઇ ચાર્જ નહી  ૫૦ રૂપિયા પ્રતિ સર્ટિફિકેટ કમ્યુનિકેશન એડ્રેસ,

KYC, મોબાઇલ નંબર અપડેટ કરવા – કોઇ ચાર્જ નહી ૨૫ રૂપિયા પ્રતિ રિકવેસ્ટ

ડેબિટ કાર્ડની રિકવેસ્ટ – કોઇ ચાર્જ નહી  ૨૫ રૂપિયા પ્રતિ રિકવેસ્ટ (ઓટો ડેબિટ)

ઇન્ટરનેટ મોબાઇલ બેન્કિંગ રિકવેસ્ટ –  કોઇ ચાર્જ નહી ૧૦ રૂપિયા પ્રતિ રિકવેસ્ટ (ઓટો ડેબિટ) ચાર્જિસ પર આપવો પડશે ૧૮ ટકા GST

સૌજન્ય


Share

Related posts

પુરીમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનો પ્રારંભ, દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ પહોંચ્યા

ProudOfGujarat

પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં કોરોનાની ગાઈડલાઇનનું પાલન શરૂ, સંસ્થાએ નિયમો પણ બનાવ્યા

ProudOfGujarat

ભરૂચ જીલ્લા ના હાંસોટ તાલુકા ના કઠોદ્રા ગામ ના યુવાનોએ પૂરતો વીજ પુરવઠો ન મળતો હોવાના કારણે અંકલેશ્વર જીઈબી કચેરી ખાતે ઢસી જઇ ગેટ બંધ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું………

ProudOfGujarat
error: Content is protected !!