Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ-અંકલેશ્વર રોડ ઉપર આવેલ ગોલ્ડન પામ વિલાના એક મકાનમાં લાખો રૂપિયાના માલમત્તાની ચોરી કરી તસ્કરો ફરાર.

Share

અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામ ખાતે ભરૂચ-અંકલેશ્વર રોડ ઉપર આવેલ ગોલ્ડન પામ વિલા સોસાયટીના એક બંધ મકાનને રાત્રી દરમિયાન તસ્કરોએ નિશાન બનાવીને લાખોની મતાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.

ગત શનિવારના રોજ એક બંધ મકાનમાં અંદાજિત 3 લાખ ઉપરાંતની ચોરી થવા પામી હતી મકાનમાલિક નામે બ્રિજ વલ્લભ રામપ્રસાદ સારસ્વત જેઓ આ મકાન બંધ કરીને ઉત્તર પ્રદેશ મથુરા ખાતે ગયા હતા. જે રાત્રી દરમિયાન મકાન માલીકને પાડોશીઓ દ્વારા ફોન કરી જણાવ્યું હતું કે તમારા મકાનમાં ચોરી થઈ છે. જેની જાણ થતાં જ બ્રિજવલ્લભ અંકલેશ્વર ખાતે પોતાના ઘરે આવી પહોંચ્યા હતા ,પોતાના ઘરમાં જોતા તસ્કરોએ આગળના દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી તિજોરી તેમજ ઘરવખરીનો સામાન વેરવિખેર કરી નાખ્યો હતો. અંદાજિત આ ચોરોએ રૂપિયા ૩,૩૯,૫૦૦ના માલમત્તાની ચોરી કરી સોસાયટીના ખુલ્લા બાજુ નાસી ગયા હોવાનું અનુમાન વર્તાઈ રહ્યું છે. આ ચોરીની ઘટનામાં પોલીસ સ્ટેશનના પી.આઈ. જી.જે.અમીન પોતાના સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ચોરીની ઘટનાથી સોસાયટીના રહીશોમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. અઠવાડિયાની અંદર બે જેટલી ચોરી થવાથી લોકો પોલીસ રાત્રી દરમિયાન પેટ્રોલિંગ કરે એવી માંગણી કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

વડોદરા : સાઇબર ક્રાઇમ અને મહિલાલક્ષી ગુનાઓ અટકાવવા અંગે અવેરનેસ પ્રોગ્રામ યોજાયો.

ProudOfGujarat

નર્મદા જિલ્લાનું ધોરણ 10 નું પરિણામ 55.49% આવ્યું.

ProudOfGujarat

અંકલેશ્વરની કુસુમબેન કડકીયા કોલેજ હવેથી શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનાં નામથી ઓળખાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!