Proud of Gujarat
GujaratFeaturedINDIA

૨૬/૧૧ મુંબઈમાં થયેલ આતંકી હુમલાની આજે ૧૧મી વરસીએ શહીદો અને મૃતકોને હાર્દિક શ્રદ્ધાંજલિ.

Share

ભારત દેશનું દિલ કહેવાતી આર્થિક રાજધાની મુંબઈ પર 26 નવેમ્બરે 2008ને થયા આતંકી હુમલાની યાદો આજે પણ તાજા છે. આ આતંકી હુમલામાં મુંબઈ સાથે આખો દેશ દહલી ગયો હતો. હુમલામાં 166 લોકોના મૃત્યુ થયા હતા. જેમાં 144 જેટલા પોલીસ અધિકારીનો મૃત્યુઆંક છે. આ પ્રી-પ્લાંડ હુમલા મુંબઈના મુખ્ય સ્થાનોમાં નજરે પડ્યા હતા. મુંબઈના રોડ , તાજ હોટલ, સીએસટી રેલ્વે સ્ટેશન, નરીમન હાઉસ, કામા હોસ્પિટલ જેવા સ્થાનો પર હુમલા થયા હતા.

મુંબઈના આ હુમલામાં 60 કલાકો સુધી સંઘર્ષ આખી દુનિયાને હલાવીને રાખી દીધા હતા. વર્ષ 2008ના આ હુમલામાં અજમલ કસાબ નામનો એક આતંકી એમના 9 બીજા સહયોગિઓ સાથે સમુદ્ર માર્ગે મુંબઈ પહોંચ્યા હતા. આતંકીઓએ મુંબઈના મુખ્ય સ્થાનો પર હુમલા કરતા હોટલ તાજને એમના કબ્જામાં કરી હતી. કલાકો સુધી ચાલતા આ સંઘર્ષમાં આતંકીઓને પાકિસ્તાનથી દિશા-નિર્દેષ મળી રહ્યા હતા તેવું પણ ચર્ચાઈ રહ્યું હતું.

Advertisement

દેશનો સૌથી વધારે મુસાફરોથી ભરેલો રેલ્વે સ્ટેશનમાંથી એક શિવાજી ટર્મિનલ પર આતંકના આ ખૂની રમતમાં સૌથી ખતરનાક દૃશ્ય જોવા મળ્યું હતું. અહીં મોટી સંખ્યામાં રેલ યાત્રી હતા. તપાસ અધિકારીઓ મુજબ અહીં ગોળીબારીમાં આતંકવાદ અજમલ આમિર કસાબ અને ઈસ્માઈલ ખાન શામેલ હતા. બન્ને આતંકિઓએ અહીં અંધાધુંધ ગોળીઓ ચલાવી હતી. સીએસટી સ્ટેશનમાં 58 લોકોના મૃત્યુ થયા હતા.

આ એક મુશ્કેલ ઓપરેશનમાં સિપાહીઓએ ઘણા આતંકીઓને ઠાર માર્યા હતા. પરંતુ સીએસટી સ્ટેશન પર ગોળીઓ ચલાવતા કસાબને જીવતો પકડી લેવામાં આવ્યો હતો. મુંબઈ હુમલાના બાબતે સુનવણી પછી કસાબને 21 નવંબરે 2012ની સવારે પૂણેની યરવડા જેલમાં ફાંસી ઉપર લટકાવી દીધો હતો.

આજે પણ ૨૬/૧૧ જ છે. પરંતુ આતંકની નહીં, શહીદો માટે સાચી શ્રદ્ધાંજલિની. મુંબઈમાં થયેલ આતંકી હુમલાને આજે ૧૧ વર્ષ થયાં છે ત્યારે ૧૧મી વરસીએ તમામ શહીદો અને મૃતકોને હાર્દિક શ્રદ્ધાંજલિ.


Share

Related posts

દાહોદ જીલ્લાના તલાટી મંડલ દ્વારા અનોખી રીતે અચોકકસ મુદ્દત આંદોલન ઉપર મંદિરો તથા ગામ ની સફાઈ કરી વિરોધ નોંધાયો

ProudOfGujarat

ભરૂચમાં કરુણા એમ્બ્યુલન્સનાં 5 વર્ષ પૂર્ણ થતાં કેક કાપી ઉજવણી કરાઇ.

ProudOfGujarat

હનુમાનભાગડામાં દીવાલ તૂટી પડતા બાળક સહિત પરિવારના 5 દબાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!