ગુજરાત રાજ્ય પોલીસ દળમાં તાજેતરમાં મોટા પાયે બઢતી અને બદલીના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યભરમાં 254 પીએસઆઈને પીઆઈ તરીકે બઢતી આપવામાં આવી છે, જેના પરિણામે અનેક જિલ્લાઓમાં અધિકારીઓની હલચલ જોવા મળી રહી છે.
આ અંતર્ગત ભરૂચ જિલ્લામાં ફરજ બજાવતા 8 પીએસઆઈને પીઆઈ તરીકે બઢતી મળતાં તેમની અન્ય જિલ્લાઓમાં બદલી કરવામાં આવી છે. બીજી તરફ, અન્ય જિલ્લાઓમાંથી 4 ને પીઆઈની બઢતી સાથે ભરૂચ જિલ્લામાં મુકવામાં આવ્યા છે.
સાથે જ ગુજરાત રાજ્યના ડીજી અને આઈજી ઓફ પોલીસ ડૉ. કે. એલ. એન રાવ દ્વારા રાજ્યના કુલ 518 પીઆઈની આંતરજિલ્લા બદલીનો આદેશ પણ આપવામાં આવ્યો છે.
આ આદેશોના પગલે ભરૂચ જિલ્લામાં ફરજ બજાવતા 16 પીઆઈની અન્ય જિલ્લાઓમાં બદલી કરવામાં આવી છે, જ્યારે અન્ય જિલ્લાઓમાંથી 11 પીઆઈની ભરૂચ જિલ્લામાં નિમણૂક કરવામાં આવી છે.
આ બદલાવને કારણે જિલ્લામાં પોલીસ વહીવટમાં નવા ચહેરાઓ જોડાતા કાર્યક્ષમતા વધવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
