ઝાડેશ્વર ચોકડી થી જુના તવરા સુધીના બનેલા ચાર માર્ગય રોડની અધૂરી કામગીરીથી સ્થાનિક લોકોમાં ભારે આક્રો રોડ પર સ્ટેટ લાઈટનો અભાવ હોવાથી વારંવાર અકસ્માતો થવાની બૂમ તથા માર્ગ ઉપર સ્પીડ બ્રેકર ન હોવાના કારણે પૂર ઝડપે દોડતા ખનીજ માફિયાઓના ડમ્પરો તથા આ રોડ પર આવેલા ત્રણ મુખ્ય નારાઓ ને ખુલ્લા છોડી દેવામાં આવતા ત્યાં કોઈ પ્રકારના બેરીકેટ ના લગાડતા વાહન ચાલકો સીધા ખાડીયોમાં ભટકાતા હોવાની પણ બૂમ
ઝાડેશ્વર ચોકડીથી જુના તવરા સુધી નવા ભરૂચનુ નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક લોકો દ્વારા અનેક આંદોલનો અને રજૂઆતો કરવા પછી તંત્રની આંખ ઊઘડતા તંત્ર અહીં રૂપિયા 23 કરોડના રોડની મંજૂરી આપી હતી જોકે આ રોડ ઝાડેશ્વર ચોકડી થી જુના તવરા સુધી ચાર માર્ગય રોડની રૂપિયા 23 કરોડના ખર્ચે નિર્માણ પામવામાં આવ્યું છે પરંતુ આ માર્ગની કામગીરી એક વર્ષ પૂર્ણ થયા છતાં પણ અધુરી કામગીરીથી સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે માર્ગ ઉપર સ્ટેટ લાઈટ નો અભાવ તથા આ માર્ગ ઉપર સ્પીડ બ્રેકરના અભાવથી રાત દિવસ ધમધમતા ખનીજ માફિયાઓ ના ડમ્પરો અનેક વાહન ચાલકોને અડફેટમાં લેતા હોવાની બૂમ તથા આ માર્ગ ઉપર ઝાડેશ્વર ચોકડી તવરા સુધીના ચાર કિલો મીટરના માર્ગ ઉપર મુખ્ય ત્રણ નાળાઓ આવ્યા છે આ નાળાઓને પોહોળા ના કરવામાં આવતા અહીં કોઈ જ પ્રકારના બેરીકેટ ન લગાડતા અહીં અકસ્માત થવાની પણ ભીત રહેતી હોય છે તથા અનેક વાહન ચાલકો આ ખાડિમા ભટકાતા હોવાની પણ બુમ આવતી હોય છે
સ્થાનિક લોકો દ્વારા એકજ માગ આ રોડની અધૂરી કામગીરી વહેલી તકે પૂર્ણ થાય એ ખૂબ જરૂરી છે
