Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-2026ઃ આચાર સંહિતાના ભંગ અંગે ફરિયાદ માટે નોડલ અધિકારીની નિમણૂક

Share

ભરૂચ જિલ્લામાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026ને ધ્યાનમાં રાખીને કાયદો-વ્યવસ્થા જાળવવા તથા ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને ભયમુક્ત રીતે યોજાય તે માટે જિલ્લા પોલીસ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. આદર્શ આચાર સંહિતાનો કડક અમલ થાય તે માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે.

આ સંદર્ભમાં જો કોઈ નાગરિકને SMS, સોશિયલ મીડિયા અથવા અન્ય ડિજિટલ માધ્યમો દ્વારા આચાર સંહિતાનો ભંગ થતો જણાય અથવા ડિજિટલ પ્લેટફોર્મનો દુરુપયોગ થતો જોવા મળે, તો તે અંગે તાત્કાલિક ફરિયાદ નોંધાવવા માટે નોડલ અધિકારી તરીકે નાયબ પોલીસ અધીક્ષક ડો. એ.જે. સિસારા (એસ.સી./એસ.ટી. સેલ, ભરૂચ)ની નિમણૂક કરવામાં આવી છે. નાગરિકો તેમના મોબાઈલ નંબર 6359629540 પર સંપર્ક કરી શકે છે.

Advertisement

તે ઉપરાંત, કોઈપણ કટોકટી અથવા તાત્કાલિક સહાય માટે પોલીસ હેલ્પલાઇન 112, મહિલા હેલ્પલાઇન 181 તથા સાયબર ગુનાઓ માટે 1930 પર સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી છે.

ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા નાગરિકોને લોકશાહીના આ પર્વમાં સક્રિય સહભાગી બની આચાર સંહિતાનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.


Share

Related posts

આમોદમાં ખેડૂતોના ઉભા પાકને નુકશાન કરતાં રખડતાં ઢોરનો ત્રાસ દૂર કરવા ખેડૂતોનું મામલતદારને આવેદનપત્ર ચાર દિવસ પહેલા ગોપાલકોએ ખેડૂતને ઢોર માર માર્યો હતો.

ProudOfGujarat

ટોક્યો પેરાલિમ્પિક: ભારતીય શૂટરો ઉપર સોના-ચાંદીનો વરસાદ: મનિષ નરવાલે ભારતને શૂટિંગમાં અપાવ્યો ગોલ્ડ મેડલ, સિંહરાજે મેળવ્યો સિલ્વર

ProudOfGujarat

હમ નહિ સુધરેંગે, કોરોનાનાં નામે જનતાને દંડનારી ભરૂચ પોલીસ નેતાઓ સામે લાચાર બની, અધિકારીઓની હાજરીમાં ગાઇડલાઈનનાં ધજાગરા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!