Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં ચૂંટણી : ગણેશ પાર્કના રહિશોએ બેનરો લગાવ્યાં, પહેલાં કામ પછી મત

Share

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ગણતરીના દિવસ બાકી રહ્યાં છે ત્યાં લોકોનો સખત વિરોધ

 

Advertisement

ભરૂચ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં એક તરફ જ્યાં વિવિધ પક્ષો પોતાના પ્રચાર પ્રસાર માટે મેદાનમાં ઉતરી છે. ત્યારે શહેરમાં લોકોનો છુપો રોષ સામે આવી રહ્યો છે. તાજેતરમાં જ શહેરના વોર્ડ નંબર ૮માં થયેલાં વિરોધ બાદ હવે શહેરના લિંકરોડ પર આવેલી ગણેશ ટાઉનશીપના રહિશોએ પહેલાં કામ કરો પછી જ મત માંગવા આવો ના બેનર લગાવતાં રાજકિય માહોલ ગરમાયો છે.

સ્થાનિક રહિશોએ સોસાયટીની બહાર લગાવાયેલાં બેનરોને લઈને જણાવ્યું હતું કે, તેમના વિસ્તારમાં છેલ્લા કેટલાંય વર્ષોથી વરસાદી પાણી ભરાઈ જવા સાથે નિયમિત સફાઈ સહિતની મુળભુત સુવિધાઓ મળી રહી હતી. સ્થાનિકો દ્વારા વારંવાર સત્તાધિશો તેમજ અધિકારીઓને રજૂઆતો કરી ચુક્યાં છે. ઉપરાંત અનેક વાર વિરોધ પ્રદર્શનો પણ કરી ચુક્યાં છે. છતાં પણ તેમની રજૂઆતોને લઈને કોઈ પણ પ્રકારની સકારાત્મક કામગીરી કે જે આંખે ઉડીને દેખાય તે થઈ નથી. જેના પગલે સ્થાનિક રહિશોમાં ભારે રોષ ફેલાયો છે. ત્યારે તેમણે તેમની સોસાયટીમાં પ્રજાની એક જ માંગ પહેલાં કામ કરો પછી જ મત માંગવા આવો તેવા બેનર લગાવીને આવનારી ચૂંટણીમાં તેમનું મતદાન અસર પાડી શકે છે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

નગર એટલે કે નળ, ગટર અને રોડ- આ માળખાકિય જરૂરિયાતથી વંચિત એવી અમારી સોસાયટીમાં માત્ર એક જ માંગ છે કે, સોસાયટીએ રોડ, ગટર અને મીઠા પાણી માટે વર્ષોથી રૂપિયા ભર્યા છે. તો તેમને તે સહુલિયત મળે. તે અંગે પુછવામાં આવે તો અધિકારીઓ-પદાધિકારીઓ કહે છે કે તે બધું ભુલી જવાનું. જેથી લોકોએ આ વખતે રાજકારણીઓનો વિરોધ કર્યો છે તેમ સ્થાનિકોએ જણાવ્યું હતું.

સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કરતાં જણવ્યું હતું કે, તેઓ દ્વારા દરેક કક્ષાએ વારંવાર રજૂઆત કરી છે. સોસાયટીના રહિશોને માત્ર પ્રાથમિક સુવિધા મળે તેટલી જ માંગ છે પણ તે પૂર્ણ થઈ રહી નથી. ગટર લાઈનના અભાવે સોસાયટીમાં કોઈને કોઈ ઘરમાં ખારકૂવો ઉભરાઈ જવા સહિતની સમસ્યા સર્જાય છે. દર વખતે જયારે પણ ઈલેક્શન હોય ત્યારે તમારૂ કામ થઈ જશે તેમ કહે છે જોકે બાદમાં ભુલી જાય છે.


Share

Related posts

ભરૂચનાં ટંકારીયા ગામે વિશ્વાસઘાત છેતરપિંડી ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો.

ProudOfGujarat

વડોદરા : ડભોઇના ચાણોદ કરનાળીના બ્રિજ ઉપરથી નર્મદા, ઓરસંગ અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમનો અનોખો નજારો.

ProudOfGujarat

ભરૂચમાં જંબુસર બાયપાસથી કંથારિયા સુધીમાં ૪૦થી વધુ દબાણો દૂર કર્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!