Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા નિ:શુલ્ક મસાલા છાસનું વિતરણ કરાયુ

Share

 

 

Advertisement

સંસ્કૃતિ સમાજ સંસ્થાન ટ્રસ્ટ, ભરૂચ ના સભ્યો દ્વારા શક્તિનાથ સર્કલ પાસે રિક્ષાચાલકો, મુસાફરો, રાહદારીઓ, મજુરીકામ કરતા લોકો, હોમગાર્ડઝ સ્ટાફ તેમજ પોલીસ સ્ટાફ, શાકભાજીવાળાઓ તથા આવતા જતાં તમામ લોકોને વિનામૂલ્યે મસાલા છાસ પીવડાવી આનંદની લાગણી અનુભવી હતી. ઉનાળાના દિવસો દરમિયાન ૪૫ ડિગ્રી જેટલી અસહ્ય ગરમીમાં છાસનું સેવન કરવાથી ગરમીથી રાહત મળે છે. છાશ ગરમીના મારણની સાથે શરીરને ઠંડક આપે છે, સાથે સાથે ઉનાળા દરમિયાન ડીહાઇડ્રેશનની સ્થિતિમાં પણ છાશ રક્ષણ પૂરું પાડે છે. જેને લઈને સંસ્કૃતિ ટ્રસ્ટ ભરૂચના સદસ્યો દ્વારા લોકોની આરોગ્યની સુખાકારી માટે છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટ ભરૂચ ના પ્રોજેક્ટ ચેરમેન પ્રતીક્ષાબેન કંસારા, સંસ્કૃતિ ટ્રસ્ટ ના સ્થાપક હેમાબેન પટેલ, સેક્રેટરી સીમાબેન ચુડાસમા, સોશિયલ મીડિયાના વિદ્યાબેન ચૌધરી, સદસ્યોમાં શીતલબેન રાડિયા, છાયાબેન પાટીલ, રજનીબેન, મીનાબેન, જ્યોતિબેન પાટડીયા, મીતાબેન પાતરા, મધુમિતાબેન, માધુરીબેન હાજર રહ્યા હતા.


Share

Related posts

હવે સસ્તા થશે ઇલેક્ટ્રિક વાહનો, હવે સોડિયમ બેટરીનો થશે ઉપયોગ, આ છે તેની ખાસિયત..જાણો.

ProudOfGujarat

અમદાવાદની સ્કૂલોમાં કોરોનાના પગલે વહેલી તકે કોર્ષ ચલાવવા માટે અપાઈ આ સૂચના

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં કોરોનાનાં ઝડપી સંક્રમણને રોકવા મોટા પાયે ટેસ્ટિંગની નીતિ : ૧૦ ટેસ્ટિંગ સેન્ટર્સ કાર્યરત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!