Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ શહેરમાં રવિવારી બજાર કોરોના વાઇરસને પગલે બંધ કરવા રાજય સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો.

Share

ભરૂચ શહેરમાં કોરોના વાઇરસને પગલે લોકો સાવચેત રહે અને આ મહામારી વધુ નહીં ફેલાય તે માટે હવે રવિવારે ભરાતી રવિવારી બંધ કરવાનો આદેશ રાજય આરોગ્ય કમિશનર દ્વારા આપવામાં આવ્યો છે. દેશભરમાં તેમાં પણ દુનિયાનાં તમામ દેશોને પોતાની લપેટમાં લેનાર મહામારી કોરોના વાઇરસને પગલે દેશમાં જ નહીં પણ જીલ્લામાં જાહેર સ્થળે ભેગા નહીં થવા માટે હવે આદેશો બહાર પાડવામાં આવ્યા છે. જયારે સાંજે રાજય કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલ આદેશ અનુસાર ભરૂચ શહેરનાં કતોપોર દરવાજા વિસ્તારમાં આવેલ રવિવારી બજાર ભરાઈ છે જેમાં હજારો વેપારીઓ અને જીલ્લાનાં હજારો લોકો ખરીદી કરવા આવે છે. જયારે આ માનવથી માનવ દ્વારા ફેલાતો રોગ હોવાથી હાલ તો રાજય સરકાર દ્વારા કતોપોર દરવાજા ખાતે ભરાતી રવિવારી બજાર બંધ કરી દેવાનો હુકમ કરવામાં આવ્યો છે.

Advertisement

Share

Related posts

ભરૂચના સ્ટેશન વિસ્તારની એક હોટલમાં રસોડાની ચીમનીમાં આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી.

ProudOfGujarat

વિશ્વમાં કોરોના ફેલાવવા અંગે ચીનને જવાબદાર ઠેરવી આજે કરણી સેના અને જય ભવાની સેવા સંધ દ્વારા ભરૂચ કલેકટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ સી-ડિવિઝન પોલીસની કામગીરી: ગુમ થયેલ યુવકને પરિવાર સાથે મિલાપ કરાવ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!