Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં સરકારની છૂટછાટ વચ્ચે કેટલાક વેપારીઓએ દુકાનો ખોલી તો કેટલાક મુંઝવણમાં મુકાયા, દુકાનો ખુલી બજારો બંધ.

Share

કોરોના મહામારી વચ્ચે સમગ્ર દેશને લોક ડાઉનની સ્થિતિમાં મુકવામાં આવ્યો હતો,રાજયમાં પણ એક બાદ એક કોરોના પોઝીટિવ કેસોનો આંકડાઓ સામે આવવા લાગ્યા ત્યારે લોક ડાઉનનું ચુસ્ત પાલન કરાવવા વહીવટી તંત્ર કામે લાગ્યું અને લોકડાઉન ૧ અને લોક ડાઉન ૨ ને સફળ બનાવી કોરોના સંક્રમણના વધતા કેસોને અંકુશમાં લેવાનો એકશન પ્લાન ઘડવામાં આવ્યો હતો.ગત રોજ કેન્દ્ર સરકારના આદેશ બાદ રાજ્ય સરકાર દ્વારા પણ કેટલાક દુકાનધારક માટે ઢીલાશ મૂકી તેઓને રોજગારી કરવા માટેની છૂટછાટ આપી હતી જે બાદ આજ રોજ સવારથી સરકારના નીતિ નિયમો વારા આદેશની આંશિક અસર જોવા મળી હતી. જેમાં ખાસ કરીને કેટલાક વિસ્તારમાં વેપારીઓએ સરકારી ગાઈડ લાઈન મુજબ ધંધા રોજગાર ચાલુ કર્યા હતા તો કેટલાક ગાઇડ લાઇનથી હજુ સુધી મુંઝવણમાં મુકાયા જોવા મળ્યા હતા.કોરોનાના સંક્રમણના કારણે ભરૂચમાં પણ 25 જેટલા પોઝીટિવ કેસો નોંધાયા હતા તેમજ બે જેટલા લોકોના મૃત્યુ પણ થયા હતા તંત્ર દ્વારા તમામ ઇફેક્ટેડ વિસ્તારોનાં માર્ગ સિલ કર્યા હતા તેમજ લોક ડાઉનનું ચુસ્ત પાલન કરાવ્યું છે ત્યારે રાજ્ય સરકારના કેટલીક દુકાનો ખોલવાના નિર્ણયને કોરોના મહામારી વચ્ચે કેટલોક વર્ગ સારો ગણાવી રહ્યો છે તો કેટલાક લોકો આ નિર્ણયથી કોરોના સામેની લડતમાં અડચણ રૂપી ગણાવતા ચર્ચા કરતા નજરે પડ્યા હતા.
આ તમામ બાબતો વચ્ચે પોલીસ વિભાગે પણ પોતાનો મોર્ચો સાંભળી રાખ્યો હતો અને વહેલી સવારથી ડબલ સવારી તેમજ માસ્ક વગર નીકળતા લોકો અને નિયમોનું ભંગ કરતા લોકો સામે કડક વલણ અપનાવ્યું હતું અને શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત અપનાવતા નજરે પડ્યા હતા.

Advertisement

Share

Related posts

રાજપીપળા : નાંદોદ તાલુકામાં કોરોના પોઝિટિવની સંખ્યા વધી, નર્મદા જિલ્લામાં ૧૨ કોરોના પોઝિટિવ દર્દીમાંથી નાંદોદ તાલુકાનાં 11 છે.

ProudOfGujarat

રાજપીપળામાં હવે વ્યાજખોરોની ખેર નથી નર્મદા જિલ્લા પોલીસ વડાનું સરાહનીય કાર્ય.

ProudOfGujarat

ભરૂચ ના કતોપોર બજાર માં આવેલ જય ભવાની જ્વેલર્સ ની દુકાન માં તસ્કરો એ ત્રાટકી લાખ્ખો રૂપિયા ના મુદ્દામાલ ની ચોરી કરી પલાયન થઇ ગયા હતા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!