Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ શહેર માં વિશ્વ આદિવાસી દિવસઃ ની આદિવાસી સમાજ દ્વારા હર્ષોઉલ્લાસ સાથે ભવ્ય બાઇક રેલી યોજી ઉજવણી કરવામાં આવી હતી…

Share


:-આજે  ૯ મી ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસઃ હોય ભરૂચ શહેર ના બંબાખાના વિસ્તારમાં આવેલ ઈદ ગાહ મેદાન ખાતે થી ભવ્ય બાઇક રેલી આદિવાસી સમાજ દ્વારા કાઢવામાં આવી હતી..જે રેલી મહંમદ પુરા સર્કલ થઇ એમ જી રોડ .પાંચબત્તી.શાલીમાર રોડ રૂટ ઉપર ફરી ભરૂચ ના રેલવે સ્ટેશન ખાતે આવેલ ડો.બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા પાસે સમાપ્ત થઇ હતી…
આદિવાસી સમાજ દ્વારા નીકળેલી ભવ્ય બાઇક રેલી એ શહેર ના માર્ગો ઉપર ભવ્ય આકર્ષણ ઉભું કર્યું હતું સાથે જ સ્ટેશન ખાતે ઢોલ નગારા સાથે ભવ્ય આદિવાસી લોક નૃત્ય ઉપર કાર્યકરો ઝૂમી ઉઠ્યા હતા..અને ડો. બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને ફુલહાર કરી રેલી નું સમાપન કર્યું હતું..તેમજ આદિવાસી સમાજ ના આગેવાનો દ્વારા જણાવવા માં આવ્યું હતું કે આગામી સમય માં વિશ્વ આદિવાસી દિવસઃ નિમિત્તે જાહેર રજા સરકાર દ્વારા આપવામાં આવવી જોઈએ તેમજ સમાજ ના ઉત્થાન માટે ના સંદેશાઓ સાથે આ રેલી યોજવામાં આવી હતી….

Advertisement

Share

Related posts

ખેડા કલેકટર કચેરી ખાતે ગરીબ કલ્યાણ મેળા અંગેની બેઠક યોજાઇ.

ProudOfGujarat

અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ પાસે ઝાડીઓમાં ફાંસો ખાધેલી હાલતમાં પુરુષનો મૃતદેહ મળતા ચકચાર

ProudOfGujarat

હીટ એન્ડ રન – અંકલેશ્વર રાજપીપલા ચોકડી બ્રિજ પાસે અજાણ્યો વાહન ચાલક બાઈક સવારને ટક્કર મારી મોત નીપજાવી ફરાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!