Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ થી જંબુસર જવાનાં માર્ગ પર અકસ્માત નો બનાવ,દેરોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના 2 કર્મચારી ઓના મોત

Share

ભરૂચ થી જંબુસર જવાનાં માર્ગ પર બપોરે 3 વાગ્યાં ના સમય અરસા માં બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જતા દેરોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના બે કર્મચારીઓ ના ઘટના સ્થળે મોત નીપજયા હતા. આ કરુણ બનાવ ની વિગતો જોતા આજે બપોર ના સમયે દેરોલ પ્રાથમિક કેન્દ્ર ના 2 કર્મચારી બાઈક પર ભરૂચ તરફ આવી રહ્યા હતા. ત્યારે આ બનાવ બન્યો હતો. પ્રાથમિક માહીતી મુજબ બાઈક સ્લીપ થતા બને કર્મચારી સડક પર પટકાયા હતા. જેમની પર ટ્રક ફરી વળતા તેમના મોત નીપજ્યાં હતા. મૃતકોમાં સંદીપ વસાવા ઉ.વ 32 રહે.ભરૂચ અને નિલેશ પટેલ ઉ.વ 34 રહે.હાંસોટ નો સમાવેશ થાય છે. ભરૂચ ગ્રામ્ય પોલીસ ના પી.આઈ રણા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કાયદેસર ની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
વ્હાલું ગામ ના પાટિયા પાસે આ બનાવ બન્યો હતો. ગામના રહેવાસીઓ ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતા.

Advertisement

Share

Related posts

આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર, શિવાલયોમાં હર હર ભોલેનો નાદ ગુંજયો.

ProudOfGujarat

“મારૂં ગામ કોરોના મુક્ત ગામ” અભિયાનના ભાગરૂપે રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલનો નર્મદા જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાના 7 પોલીસ સ્ટેશનના 17 ગુનામાં ઝડપાયેલો 1.25 કરોડનો નાર્કોટિક્સ ડ્રગ્સનો જથ્થો નાશ કરાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!