Proud of Gujarat
FeaturedGujaratINDIA

અસુરીયા પાટીયા યુ-ટર્ન પાસે એસ.ટી બસ અને બાઇક ચાલક વચ્ચે અકસ્માત સર્જાતાં બે ઇસમોને મોત

Share

ભરૂચ નજીકથી પસાર થતા અસુરીયા યુ-ટર્ન પાસે એસ.ટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતાં બે ઇસમોને મોત નિપજ્યા હતા. આ બનાવ અંગે નબીપુર પોલીસના સુત્રોના જણાવ્યા અનુસાર એસ.ટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા શેરપુરા રોડ પર આવેલ કુરસીદ પાર્ક ના રહીશ ઇલ્યાસ અલી મુન્સી ઉ.વ 52 અને વલી ઈસા તલાટી ઉ.વ 65 બાઇક ૫૨ ભરૂચ તરફ આવી રહ્યા હતા. ત્યારે અકસ્માત સર્જાતા બન્ને ને ગંભીર ઇજા થતાં તેમના મોત નિપજ્યા હતા. આ બનાવના પગલે ખુરશીદ પાર્ક વિસ્તારમાં શોકનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. એસ.ટી બસના ડ્રાઇવર એસ.ટી બસ મૂકી ફરાર થઈ ગયો હતો. બનાવની તપાસ નબીપુર પોલીસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા : બે વર્ષથી નર્મદા જિલ્લામાં ખેતીના પાકમાં નુકસાનનું વળતર મળ્યું નથી ?

ProudOfGujarat

અમદાવાદ-ગોમતિપુર વિસ્તારમાં વરસાદના કારણે મેટ્રો ટનલ રૂટની આસપાસની જમીન બેસી ગઇ…

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં સરકારી કચેરીઓમાં શ્રમદાનનો કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!