Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં વધુ 19 કોરોના પોઝીટિવ દર્દીઓ નોંધાતા કુલ આંક 856 થયો.

Share

ભરૂચ જીલ્લામાં કોરોના પોઝીટિવ દર્દીઓની વધધટ સતત ચાલી રહી છે. પરંતુ સરેરાશ દૈનિક 15 થી 25 ને રેન્જમાં ભરૂચ જીલ્લામાં કોરોના પોઝીટિવ દર્દીઓ નોંધાય રહ્યા છે. જોકે કેટલાંક લોકો કોરોના પોઝીટિવનો આંકડો તેમજ અત્યારસુધીનાં મોતનાં આંકડા સાથે સહમત નથી. તેમ છતાં તા.28-7-2020 ના રોજ આરોગ્ય તંત્ર દ્વારા અપાયેલ કોરોના અંગેની માહિતી જોતાં કુલ 19 દર્દીઓ કોરોના પોઝીટિવ જણાયા હતા. જેમાં ભરૂચમાં 3, અંકલેશ્વરમાં 9, ઝધડીયા 5, હાંસોટમાં 2 આમ કુલ 19 દર્દીઓનો સમાવેશ થાય છે. તે સાથે આજરોજ 15 દર્દીઓ સાજા થતાં તેમણે હોસ્પિટલમાંથી રજા અપાઈ હોવાનું આરોગ્યતંત્રએ જણાવ્યુ હતું. આજરોજ 2 દર્દીઓનું મૃત્યુ થતાં મૃત્યુનો કુલ આંક 18 પર પહોંચ્યો છે.

Advertisement

Share

Related posts

કરજણના જૂના બજાર તળાવની બાજુમાં વેરાઇ માતાના મંદિરના કમ્પાઉન્ડમાં જુગાર રમતા સાત  ખાનદાની નબીરાઓ ઝડપાયા

ProudOfGujarat

આ ખરાબ આદતને કારણે આ રાશિની છોકરીઓને ક્યારેક ભયંકર પરેશાનીનો સામનો કરવો પડે છે…જાણો.

ProudOfGujarat

અમદાવાદનાં ચાંદખેડામાં સ્ટેટ મોનિટરીંગ સેલએ રેડ કરીને 18 જુગારીઓની કરાઇ ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!