Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચથી અંકલેશ્વરનાં માર્ગ પર ઇકો વાન ખાડામાં ખાબકી એક વ્યક્તિને ગંભીર ઇજા.

Share

ભરૂચથી અંકલેશ્વર જવાના માર્ગ પર એક ઇકો વાન ખાડામાં પલટી ખાઈ પડી જતાં અફરાતફરીનું વાતાવરણ સર્જાયું હતું. ઇકો વનમાં સવાર એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી. ઇકો વાનને ખાડામાંથી કાઢવા લોકોએ ખૂબ જહેમત ઉઠાવી હતી ત્યારબાદ કાર ખાડામાંથી બહાર નીકળી હતી. આ બનાવમાં એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી. આ માર્ગ પર અવારનવાર ખાડામાં વાહનો પલટી ખાતા હોવાના બનાવો વધી રહ્યા છે ત્યારે આ અંગે તંત્ર દ્વારા રેલિંગ બનાવાય તેવી માંગ ઊભી થઈ છે. ભરૂચ અંકલેશ્વર વચ્ચે વાહન વ્યવહાર વધી રહ્યો છે ત્યારે આ માર્ગ પર તીવ્ર વળાંકો પણ આવેલા છે તેવા સમયે વાન પલટી ખાવાના કે અન્ય વાહનો પલટી ખાવાના બનાવો બની રહયા છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયા મુકામે હઝરત કયામુદ્દિનબાવાની દરગાહ શરીફનો વાર્ષિક ઉર્સ મનાવાશે

ProudOfGujarat

ગ્રીષ્મોત્સવ 2022 સમાપન સમારંભ કાર્યક્રમ પાલડી અમદાવાદ ખાતે યોજાયો.

ProudOfGujarat

ગોધરાના સાંસદ પ્રભાતસિંહના પુત્ર  પ્રવિણસિંહ ચૌહાણનો નશ્વરદેહ પંચમહાભુતમાંં વિલીન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!