Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : કોરોનાનાં કારણે મેધરાજાનો મેળો અને છડીયાત્રાનાં કાર્યક્રમો રદ, ભકતો મેધરાજાનાં ઓનલાઈન દર્શન કરી શકશે જાણો વધુ.

Share

ભરૂચમાં કોરોના વાઇરસનાં કહેરની અસર હવે ઉત્સવો પર જણાય છે. સૈયકાઓ જૂના ભરૂચનાં મેળાનો ઉત્સવ તેમજ તમામ ઉત્સવ કોરોના મહામારીનાં પગલે બંધ રહેતા છડીયાત્રા અને મેધરાજાની વિસર્જન યાત્રાની વર્ષોની પરંપરા બંધ રાખવામાં આવી છે. જેના કારણે ભકતજનોમાં દુખની લાગણી જણાય રહી છે. શ્રાવણ વદ સાતમથી શરૂ થતો મેળો પણ બંધ રહેતા હાલ સોનેરી મહેલ ઢોળાવ રોડ મેળાના દિવસો દરમિયાન સૂમસામ જણાઈ રહ્યા છે. કલેકટર દ્વારા કોરોના મહામારીનાં પગલે જાહેર કરાયેલ જાહેરનામાનું પાલન કરવામાં આવી રહ્યું છે. જોકે મેળાનું આયોજન ન થતાં વેપારીઓને જંગી નુકસાન થયું છે. તે સાથે લોકોમાં આનંદ અને ઉમંગની લાગણીમાં પણ મેળો ન યોજાતા ખોટ જણાય રહી છે. ભરૂચ સમસ્ત ભોય જ્ઞાતિ પાંચ દ્વારા આયોજિત કાર્યક્રમોનું ઓનલાઈન આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે તમામ વિધિઓ કોરોનાને ધ્યાને લઈ સાંકેતિક રીતે કરવામાં આવનાર છે. જેના ઓનલાઈન દર્શન https://www.youtube.com/c/BharuchBhoiPanch ની લિંક પર કરી શકાશે. આ લિંક દ્વારા ભક્તજનોને દર્શન કરવા માટે અપીલ કરવામાં આવી છે. કોરોના મહામારીનાં પગલે ભકતજનો પોતાના ઘરે રહી વિવિધ કાર્યક્રમોની વિધિ તેમજ દર્શન કરી શકશે તે પણ એક અનેરો લ્હાવો છે.

Advertisement

Share

Related posts

કેવડિયા ખાતે સ્વાસ્થ્ય ચિંતન શિબિરના ભાગરૂપે કેન્દ્રિય ટીમ દ્વારા પૂર્વ આયોજન અંગે સમીક્ષા બેઠક યોજાઈ.

ProudOfGujarat

ભરૂચ માં નેશનલ હેલ્થ મિશન ના કરાર આધારિત કર્મચારીઓએ પગાર વધારા મુદ્દે જિલ્લા પંચાયત કચેરી ખાતે ભેગા થઇ ભારે સુત્રોચાર કર્યા હતા-સરકાર દ્વારા જ્યાં સુધી કર્મચારીઓને ન્યાય નહિ મળે ત્યાં સુધી કર્મચારીઓએ અચોક્કસ મુદ્દત ની હડતાળ પર ઉતર્યા હતા….

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગનાં ચાસવાડ નજીક ટ્રક અને બોલેરો જીપ વચ્ચે અકસ્માતમાં 2 લોકોના કમકમાટીભર્યા મોત, અન્ય એક ઘાયલ થતા સારવાર અર્થે ખસેડાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!