Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ એ.પી.એમ.સી માં ભર વરસાદે આગનું તાંડવ કુલ ૧૦ જેટલી દુકાનોમાં અગમ્ય કારણોસર આગ પ્રસરી,આગ લાગવાનું કારણ અંક બંધ

Share

ભરૂચ મંહમદપુરા વિસ્તારમાં આવેલી એ.પી.એમ.સી માં આજે બપોરે અચાનક અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. એક બાજુ ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. તો બીજી બાજુ આગ ફાટી નીકળી હતી. એ.પી.એમ.સી ના પાછલા ભાગમાં આશરે ૧૦ જેટલી દુકાનો ને આગના પગલે જંગી નુકસાન પહોંચ્યું હતું. જોકે હજી કેટલું નુકસાન થયું તેનો ચોક્કસ આંકડો મળી શક્યો નથી. ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધી લાય બમ્બા ની 12 ટ્રીપો થઈ ગઈ છે.હજી પણ ટ્રીપો ચાલુ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Advertisement

Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રવેશ ફી અને પાર્કિંગ ચાર્જ અંગે તફાવતની રકમ HDFC બેન્ક દ્વારા જમા કરાવવામાં આવી.

ProudOfGujarat

નડિયાદ : મહિલા પોલીસ કર્મીઓએ બધિર વિદ્યાલયમાં બાળકોની મુલાકાત લીધી.

ProudOfGujarat

સુરતની હરેકૃષ્ણ ડાયમંડે કર્મચારીઓને અકસ્માતથી બચવા 12 હજાર હેલ્મેટની ભેટ આપી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!