ભરૂચ નગરનાં વિવિધ રસ્તાઓ પર પશુઓ અડીંગો જમાવીને બેઠા છે. વિતેલા સમયમાં રસ્તા પર અડીંગો જમાવીને બેઠેલા પશુઓને લીધે એક વિદ્યાર્થી સહિત ત્રણ વ્યક્તિઓનાં મોત નીપજયાં હતા. તેમજ ઘણા અકસ્માતનાં બનાવો બન્યા હતા. આ બધી પરિસ્થિતીને ધ્યાને રાખી અભિગમ હેઠળ પશુ ઝડપી રસ્તા પર રખડતાં પશુઓથી રસ્તાને મુકત કરવા કોન્ટ્રાકટ અપાયો પરંતુ આ કોન્ટ્રાકટની શરતો મુજબ કામ થતું નથી જેથી ફરી એકવાર ભરૂચનાં મુખ્ય માર્ગો પર પશુઓનાં અડીંગા જણાય રહ્યા છે. તેથી રસ્તા પર માર્ગ અકસ્માત સર્જાય અને માનવીઓના જીવ જોખમમાં મુકાય તેવી પરિસ્થિતીનું સર્જન થયું છે.
Advertisement