Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નજીક નર્મદા નદીમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો.

Share

આજરોજ ભરૂચથી અંકલેશ્વર તરફના છેડે નર્મદા નદીમાંથી એક યુવાનનો મૃતદેહ પાણીમાં તરતી હાલતમાં જોવા મળ્યો હતો. આ યુવાનનું નર્મદા નદીમાં ડૂબી જવાનાં કારણે મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે એક સુસાઇડ નોટ પણ મળી આવેલ છે જેમાં જણાવ્યા અનુસાર આ યુવાનનું નામ નરેશ રમણભાઈ પરમાર હોવાનું લખ્યું છે તથા 23, ભગવતી સોસાયટી, સાણંદનો રહેવાસી હોવાનો ઉલ્લેખ કરેલ છે અને મોબાઈલ નંબર પણ લખેલ છે અને તેને તેના નામની સહી પણ કરેલ છે.
સુસાઇડ નોટમાં ઉલ્લેખ અનુસાર નરેશ પરમારએ જીવનથી કંટાળીને હારીને આત્મહત્યા કરી હોવાનું જાણવા મળે છે અને પોતાના મોત માટે કોઈપણ વ્યક્તિને જવાબદાર ગણવો નહીં તેમ જણાવ્યુ છે તથા પોતાને માફ કરવા પણ જણાવ્યુ છે. નર્મદા નદીમાં લાશ જોતાં સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ ની આદિવાસી પ્રજા ઝંખે છે પાક્કા મકાનો ,કલેકટર ને આપ્યુ આવેદન

ProudOfGujarat

ભરૂચ જિલ્લા નાં હાંસોટ તાલુકાનાં પાંજરોલી ગામની સીમમાં આવેલ એક કંપનીમાં લૂંટ ચલાવવના પ્રકરણમાં પાંચ આરોપીની ધરપકડ

ProudOfGujarat

ભરૂચ વેલ્ફેર હોસ્પિટલ ખાતે સેવાસેતુ કાર્યક્ર્મ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!