Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ગરબાનાં ખેલૈયાઓમાં નિરાશાનું વાતાવરણ જાણો કેમ.

Share

નવરાત્રિ મહોત્સવનાં આડે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે ત્યારે સરકારની હાલની ગાઈડલાઇન મુજબ કોરોના મહામારીનાં પગલે નવરાત્રિનાં જાહેરમાં સામૂહિક ગરબા યોજી શકાશે નહીં. સરકારની આ ગાઈડલાઇનનાં પગલે ખેલૈયાઓમાં નિરાશાનું વાતાવરણ ફેલાઈ ગયું છે એટલું જ નહીં પરંતુ માં અંબાની પ્રતિમાની સ્થાપના કરી શકશે એમ જાણવા મળેલ છે સાથે સાથે પ્રસાદનાં વિતરણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને આરતી કરવા માટે એક કલાકનો સમય આપવામાં આવ્યો છે. ત્યારે નવરાત્રિ મહોત્સવમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોની રોજગારી જોડાયેલી છે જેમાં કલાકારો અને ડેકોરેશન ઉપરાંત સાઉન્ડ લાઇટનાં કારીગરોનો પણ સમાવેશ થાય છે જે લોકોને 2020 માં રોજીરોટી મળી શકી નથી તેથી આ તમામની આર્થિક પરિસ્થિતી ખૂબ ખરાબ થઈ ગઈ છે. આ પરિસ્થિતિમાં નવરાત્રિ મહોત્સવ અંગે સરકારનો આ નિર્ણય ખેલૈયા માટે નિરાશાજનક સાબિત થશે એમ જણાય રહ્યું છે. ગુજરાતમાં આ વર્ષે નવરાત્રી, દશેરા, દુર્ગા પૂજા, દિવાળીની ઉજવણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Advertisement

Share

Related posts

વાહકજન્ય રોગ નિયંત્રણ માટે અમદાવાદ જીલ્લામાં 200 થી વધુ રાત્રીસભાઓ કરવામાં આવશે.

ProudOfGujarat

अमेज़ॅन प्राइम वीडियो आज अपनी डायरेक्ट-टू-ओटीटी फिल्म ‘पोनमगल वंधल’ का पहला डिजिटल प्रीमियर करेंगे होस्ट!

ProudOfGujarat

પાદરા તાલુકાના રાજૂપુરાના ખેડૂત આત્માના માધ્યમથી પ્રાકૃતિક ખેતી શીખ્યા અને તેના પ્રખર હિમાયતી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!