Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં નર્મદા નદીનાં પટમાંથી રેતીની લીઝ મામલે સાંસદની મુખ્યમંત્રીને લેખિત રજૂઆત…

Share

ભરૂચ જીલ્લામાં નર્મદા નદીનાં પટમાં રેત માફિયા દ્વારા રેતી ખનન કરાતા આ બાબતે ભરૂચનાં સાંસદ મનસુખભાઈ વસાવાએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ લેખિત પત્ર પાઠવી રેતીનું ખનન કરતાં રેતી માફિયાઓને અટકાવાવ માટે લીઝ કેન્સલ કરવા માંગણી કરી છે. આ લેખિત પત્રમાં જણાવ્યા અનુસાર ભરૂચ, વડોદરા તથા નર્મદા એમ ત્રણેય જીલ્લામાં મોટાપાયે રેતી ખનન થતું હોય જેને અટકાવવા માટે મારી માંગણી છે. આ વિસ્તારનાં રેત માફિયાઓ પોતાની વગનાં આધારે જીલ્લા તથા રાજય લેવલે આગવી ઓળખનાં કારણે આડેધડ રેતીની લીઝની મંજૂરી મેળવેલ હોય આથી આ રેતમાફિયાઓ પર અંકુશ લગાવવા મારી માંગ છે.

રેતમાફિયાઓ દ્વારા આ વિસ્તારમાં રેતીનું ખનન થઈ રહ્યું છે તેનાથી આવનારા દિવસોમાં નર્મદા નદીનું અસ્તિત્વ જોખમમાં મૂકાવાની શકયતા છે. રેત માફિયાઓનાં કારણે નદીનાં ઊંડાણમાંથી રેતી કાઢવાની કામગીરી કરવામાં આવતા વારંવાર નદીમાં ડૂબી જવાની ઘટનાઓ પણ બનેલ છે. આ બાબતે અમોએ આપને આ અગાઉ પણ ચાર વખત લેખિત રજૂઆત આપેલ છે પરંતુ મારી રજૂઆતને ધ્યાન પર ન લઈ કોઈ પણ જાતની કામગીરી કરાઇ નથી. તેમજ રેતી ખનન કરવાથી નર્મદા નદીનાં બંને કાંઠાઓ પર આવેલા ગામોમાં નદીનો પ્રવાહ બદલવાથી ગામનાં ભાગોળ સુધી નદીનું ધોવાણ થવાની સંભવના રહેલી છે. પ્રકૃતિની દ્રષ્ટિએ નદીનાં કિનારે આવેલા નદીમાં ઉછરતા નાના-મોટા વૃક્ષોનું પણ ધોવાણ થઈ રહ્યું છે. આસપાસનાં ગામો પ્રકૃતિક દ્રષ્ટિએ પણ ખૂબ જ નુકસાન થાય છે. આસપાસનાં ગામોમાં રસ્તાઓ તૂટી જાય છે જેના કારણે અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે. આથી રેતીમાફિયાઓ દ્વારા રેતી ખનન કરતાં આગામી સમયમાં નાંદોદ તાલુકાનાં સિસોદ્રા ગામમાં પાણીનો પ્રવાહ ગામ તરફ આવવાની ભીતિ છે અને આજુબાજુના ગામમાં પણ ભારે નુકસાન થવાણી સંભાવના છે. આસપાસનાં વિસ્તારનાં લોકો ભારે વિરોધ કરી રહ્યા છે. પરંતુ લીઝ ધારક રેત માફિયાઓની સરકાર તથા વહીવટી તંત્રમાં મોટી વગ હોવાના કારણે નદીમાંથી રેતી કાઢવાનું ચાલુ રાખ્યું છે. આથી પ્રજાની રજૂઆતને ધ્યાને લઈ જે વિસ્તારમાં રેતી કાઢવાનો વિરોધ છે તે વિસ્તારમાં લીઝને કેન્સલ કરવી જોઈએ.

Advertisement

Share

Related posts

*ખ્યાતિ હોસ્પિટલ માં યોજનાની આડમાં સરકારના અધિકારીઓ – ડોક્ટરોની સંડોવણીનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલા* ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના મહામંત્રી સંદીપ માંગરોલા એ તાજેતરમાં બનેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં થયેલ કથિત મેડિકલ બેદરકારી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી જે દર્દીઓના મૃત્યુ થયા છે તે બાબતે ડોક્ટર તથા સંચાલકો વિરુદ્ધ સખત શબ્દોમાં આ સમગ્ર ઘટનાને વખોડી કાઢી જરૂરિયાતમંદ ને યોગ્ય માનવસેવા પૂરી પાડવા સહિતના મુદ્દા પર યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરેલ છે. ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પીએમ જેવા યોજનાની આડઅસર અને ડોક્ટરની બેદરકારી ના કારણે દર્દીઓ પર જરૂરિયાત વિના એનજીઓગ્રાફી અને એનજીઓ પ્લાસ્ટિક જેવા પ્રોસીડયોર કરવામાં આવ્યા હતા. જેના કારણે બે દર્દીઓનું કરુણ મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે, આ સમગ્ર મામલે સંદીપ માંગરોલા એ જણાવ્યું છે કે પીએમ જેવાય યોજના અંતર્ગત ડોક્ટર દ્વારા જે કાંઈ પણ નિર્ણય લે તાત્કાલિક અસરથી એનજીઓ પ્લાસ્ટિક કરવામાં આવેલ હોય તેનાથી સરકારના સ્વાસ્થ્ય વિભાગના યોજનાકીય ભંડોળનો પણ ખોટો ઉપયોગ થતો હોવાનું જાણવા મળ્યું છે, પીએમજેવાય યોજના અંતર્ગત સરકાર દ્વારા સામાન્ય નાગરિકોને સસ્તી અને સરળતાથી મળી રહે તેવી તબીબી સારવાર આપવામાં આવતી હોય છે, પરંતુ ડોક્ટરો દ્વારા આ યોજના ખોટી રીતે ફાયદો કરવામાં આવતો હોય તેવું લાગતા સમગ્ર રીતે આ ઘટનાને સંદીપ માંગરોલા એ વખોડી કાઢી અને વધુમાં જણાવ્યું છે કે માત્ર દર્દીઓનો વિશ્વાસ ને ડોક્ટરોએ ખંડિત કર્યો છે તેવું નથી આ કૌભાંડમાં સંડોવાયેલ અધિકારીઓ અને હોસ્પિટલના ડોક્ટરો તેમજ સંચાલકો ની પણ સાથ ગાંઠ સરકારના વિભાગ સાથે હોય તેવું કથિત જાણવા મળ્યું હોય સમગ્ર આક્ષેપો ના પરિપ્રેક્ષ્યમાં સંદીપ માંગરોલા એ આરોગ્ય વિભાગમાં આરટીઆઇ અરજી ફાઈલ કરેલ છે. આરટીઆઈ માં સંદીપ માંગરોળ એ જણાવ્યું છે કે તપાસનો સંપૂર્ણ અહેવાલ જેમાં આયોજિત બિનજરૂરી પ્રોસેસ્યોર અંગેના તારણોનો સમાવેશ થાય તેમ જ તબીબી રેકોર્ડ્સ અને દસ્તાવેજોની પ્રમાણિત નકલ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સામે કરવામાં આવેલ પગલાંઓની વિગત જેમાં કાનૂની કાર્યવાહીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે સરકારની પીએમજેવાય માર્ગદર્શિકા ના પાલન માટેની ચકાસણી સહિતના મુદ્દા ઉપર સંદીપભાઈ માંગરોલાએ આરટીઆઇ કરી છે વધુમાં તેઓએ જણાવ્યું છે કે આપણા નાગરિકોના આરોગ્ય અને સલામતીની ઉપેક્ષા કરી શકાય તેમ નથી સરકારની પીએમજેવાય યોજના એવી અપેક્ષા સાથે બનાવવામાં આવી હતી કે જરૂરિયાતમંદ દર્દીઓ આ યોજના દ્વારા યોગ્ય સારવાર મેળવી શકે પરંતુ સમગ્ર મામલે ડોક્ટરો પોતાના અંગત લાભ માટે આ યોજનાનો ઉપયોગ કરતા હોય તેવું જાણવા મળ્યું છે આથી આરોગ્ય વિભાગ દ્વારા સંબંધિત સંકળાયેલા લોકોની તાત્કાલિક અસરથી તપાસ કરી તારણ જાહેર કરે અને જવાબદાર સરકારના અધિકારીઓ અને હોસ્પિટલના સંચાલકો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરેલ છે.

ProudOfGujarat

ઉમરપાડા તાલુકાના ઉભારીયા ગામે બોલેરો પીક અપ અને ટુ વહીલબાઈક વચ્ચે અકસ્માત.રૂધા ગામના યુવકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું.

ProudOfGujarat

નડિયાદ : એક્સપ્રેસ હાઈવે પર દારૂ ભરેલ ટ્રકને અકસ્માત નડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!