Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ગણેશ સુગરની સામાન્ય સભા મોકુફ રાખવાનો હુકમ થતાં સામાન્ય સભા મુલત્વી રાખવામાં આવી.

Share

વટારીયા ખાતેની ગણેશ સુગરના વહિવટમાં થયેલ કથીત ભ્રષ્ટાચારના મુદ્દે ઉભો થયેલો વિવાદ દિવસે દિવસે ઘેરો બનતો જાય છે. સુગરના વહિવટમાં થયેલા કથિત ભ્રષ્ટાચાર અંગે વ્યવસ્થાપક અને સુગરના કેટલાક જાગૃત સભાસદો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી વહીવટ બાબતે તથા ચૂંટણી બાબતે હાઈકોર્ટમાં તથા બોડૅ ઓફ નોમીનીઝમાં કાયૅવાહી ચાલી રહેલી છે.

પ્રાપ્ત વિગતો મુજબ તારીખ ૧૯.૧૨.૨૦ ના રોજ સંસ્થાની વેબસાઇટ પર તારીખ ૩૧.૧૨.૨૦ ના રોજ સંસ્થાની ઓફીસ ખાતે બપોરે ૧:૦૦ કલાકે સાધારણ સભા રાખવાની જાણ કરવામાં આવી હતી. તેનાથી નારાજ થયેલ સભાસદ દ્વારા સભાસદોના હીત અને અધીકારની વાત સાથે યોગ્ય પુરાવા સાથે નામદાર બોડૅ ઓફ નોમીનીઝ વડોદરા ખાતે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. સાધારણ સભા અંગેની જે નોટિસ વેબસાઇટ તથા નોટિસ બોર્ડ પર લગાવેલ છે તે યોગ્ય નહિ હોવાની રજુઆત કરવામાં આવી હતી. નામદાર બોર્ડ ઓફ નોમીનીઝમાં કેસ મુકવામાં આવતા અરજદારની દલીલોને નામદાર કોર્ટ દ્વારા માન્ય રખાતા સાધારણ સભા પર સ્ટે અપાયો હોઇ તા.૩૧ ડિસેમ્બરના રોજ યોજાનાર સાધારણ સભા મુલત્વી રાખવામાં આવી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

અંકલેશ્વરમાં વાલીયા ચોકડી સહિતના વિસ્તારોમાં ટ્રાફિક નું નિરાકરણ ન થતા જાગૃત નાગરિકે મામલતદારને લખ્યો પત્ર

ProudOfGujarat

ભરૂચ : જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી આમોદ પોલીસ.

ProudOfGujarat

ભરૂચના ડો.હરેન્દ્રસિંહ સિંધાને સહારા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલ સત્કાર સમારોહમાં માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!