Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં ઝાડેશ્વર નજીક એસ.ટી બસની અડફેટમાં બાઇક આવતાં સર્જાયેલ અકસ્માતમાં દંપતીનું મોત.

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ગત મોડી રાત્રીના સમયે ભરૂચનાં ઝાડેશ્વર ઓવરબ્રિજ પાસે આવેલ હોટલ ગ્રીનરી સામે એસ.ટી બસ નંબર GJ – 18 – Z – 1616 નાં ચાલકે પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવતા મોટર સાયકલ નંબર GJ – 16 – AH – 7364 ને અડફેટમાં લેતા ચાલક સહિત મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેઓનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું.

એસ.ટી બસની અડફેટે આવેલ બાઇક સવાર મુકેશભાઈ શંકરભાઈ વસાવા ઉં.વ ૩૭ અને રતનબેન મુકેશભાઈ વસાવા ઉં.વ ૩૫ રહે.અંકલેશ્વર ખરોડ નાઓનું ગંભીર ઇજાઓના પગલે કમકમાટીભર્યા મોત નિપજતા તેઓની લાશને પી.એમ અર્થે ખસેડીને એસ.ટી બસનાં ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

Share

Related posts

રેલવેના ઈતિહાસમાં પ્રથમ વખત મહિલાને રેલવેના ચેરમેન અને CEO પદ પર નિમણૂક કરાઇ

ProudOfGujarat

અંકલેશ્વર : NSUI દ્વારા કુસુમબેન કડકીયા કોલેજ ખાતે પેપર લિકની ઘટના મામલે વિરોધ પ્રદર્શન કરાયું.

ProudOfGujarat

અંકલેશ્વરના કાગદીવાડમાં એક મકાનમાં ખૂની ખેલ ખેલાયો,પત્નીની હત્યા કરી પતિએ ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરી લીધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!