Proud of Gujarat
FeaturedGujaratINDIA

રીક્ષા ચાલકોને મદદ કરો નહિ તો ચક્કાજામ કરવામાં આવશે, ભરૂચમાં રીક્ષા ચાલકોની તંત્રને ચીમકી.

Share

કોરોના મહામારીનાં લોકડાઉન બાદથી રીક્ષા ચાલકોની હાલત કફોડી બની છે, લોકડાઉનથી લઈ અત્યાર સુધી ઓટો રીક્ષા ચાલકોને સરકાર તરફથી કોઈ પણ જાતની મદદ કે યોજનાનો લાભ આપવામાં ન આવતા આખરે રીક્ષા ચાલક હવે સરકાર સામે બાયો ચઢાવવાના મૂડમાં આવ્યા હોય તેમ લાગી રહ્યું છે.

ભરૂચમાં જય ભારત ઓટો રીક્ષા એસોસિએશન દ્વારા રીક્ષા ચાલકોને સરકારી મદદ કે યોજનાનો લાભ આપવા બાબતની માંગ સાથે આવતી કાલે જિલ્લા કલેક્ટરને રજુઆત કરવામાં આવનાર છે અને સાથે જ ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે કે જો આગામી તારીખ ૨૨.૦૩.૨૦૨૧ સુધી રીક્ષા ચાલકોને કોઈ પણ યોજના કે લાભ નહિ આપવામાં આવે તો આંદોલન કરી વહેલી સવારથી જ ચક્કાજામ કરવામા આવશે તેમ ચીમકી રૂપી જણાવવામાં આવ્યું છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લાની ઝધડીયા બેઠક ઉપરનાં ધારાસભ્ય છોટુભાઈ વસાવાની તબિયત એકાએક લથડતા તેઓને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ProudOfGujarat

નવમા નોરતે અમદાવાદ જિલ્લા સહિત રાજ્યભરની આંગણવાડીમાં નવદુર્ગા બાલિકા પૂજન કરાશે

ProudOfGujarat

સુરતના દક્ષ એપાર્ટમેન્ટમાં દિવાળીના ટાણે ચોરોનો મોટો હાથફેરો : જાણ ભેદુ હોવાની આશંકા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!