Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ સ્ટેશન સર્કલ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન, એલજી સત્તા વધારવાનાં કેન્દ્ર સરકારનાં બિલ સામે કરાયો વિરોધ.

Share

ભરૂચ શહેરનાં સ્ટેશન સર્કલ નજીક આજે આમ આદમી પાર્ટી દ્વારા આક્રોશ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, આમ આદમી પાર્ટીનાં કાર્યકરો અને હોદ્દેદારોએ ભેગા મળી સ્ટેશન સર્કલ નજીક ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે આ વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં કાર્યકરોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

આમ આદમી પાર્ટીનાં કાર્યકરોએ જણાવ્યું હતું કે દિલ્હીનાં લોકો દ્વારા ચૂંટાયેલી સરકારને નબળી પાડીને જનહિતનાં કાર્યોને રોકવાની કેન્દ્ર સરકારનાં ષડયંત્રનાં વિરોધમાં એલજી સત્તા વધારવાના બિલને પરત ખેંચવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

તક્ષશિલા વિદ્યાલયમાં ગૌરી વ્રતની ઉજવણી

ProudOfGujarat

વડોદરામાં ડેસર તાલુકાના ન્હારા ગામે એક જ કોમના બે ટોળા વચ્ચે પથ્થર મારો, ત્રણ વ્યક્તિ ઘાયલ.

ProudOfGujarat

પંચમહાલ જીલ્લામા ભારે ધામધુમ અને શ્રધ્ધાપુવર્ક હનુમાન જયંતીની ઉજવણી કરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!