Proud of Gujarat
INDIAFeaturedGujarat

આઝાદીનાં અમૃત મહોત્સવ નિમિત્તે સાબરમતીથી નીકળી દાંડીયાત્રા ભરૂચ શહેરમાં પ્રવેશી.

Share

આજરોજ વહેલી સવારે દેરોલથી નીકળી ભરૂચનાં સેવાશ્રમ ખાતે દાંડી યાત્રિકોએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી.

સાંસદ મનસુખભાઇ વસાવા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, પાલિકા પ્રમુખ અમીતભાઈ ચાવડા, જિલ્લા પંચાયત સભ્ય ધર્મેશભાઈ મિસ્ત્રી, જિલગ્નેશભાઈ મિસ્ત્રી, પૂર્વ પાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલા, દિવ્યેશભાઈ પટેલ, પ્રાંત અધિકારી શ્રી એમ.કે. પ્રજાપતિ સાહેબ અને ચીફ ઓફિસર સંજય ભાઈ સંજયભાઈ સોની દ્વારા દાંડિયાત્રાનું સેવાશ્રમ ખાતે ફૂલોથી સ્વાગત કરાયું.

આ પ્રસંગે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો નગરસેવકો અધિકારીઓ અને કાર્યકરોએ હાજરી આપી હતી. આજે દાંડીયાત્રા સાંજે ૪ કલાક સુધી ભરૂચના રાજપુત છાત્રાલય ખાતે વિશ્રામ કરશે, સાંજે 4 કલાકે ભરૂચના પાંચબત્તી, સોનેરીમહેલ, લલ્લુભાઈ ચકલા થઈ નવ ચોકી ઓવરાથી જળમાર્ગે અંકલેશ્વરમાં પ્રવેશ કરનાર છે.

Advertisement

Share

Related posts

યશ રાજ ફિલ્મ્સ અને પોશમ પા પિક્ચર્સ વચ્ચે 2025 થી થિયેટર ફિલ્મો માટે એક મોટું જોડાણ છે.

ProudOfGujarat

માંગરોળ : વાંકલ ગામે દુકાનમાં ગ્રાહકના ખિસ્સામાંથી રૂપિયા ચોરી કરતો ઈસમ ઝડપાયો.

ProudOfGujarat

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં કોફી શોપની આડમાં ચાલતા કપલબોક્સમાં રેડ, બે ની અટકાયત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!