Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના દાંડિયા બજાર નદી કાંઠા વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં એક જ પરિવારના ત્રણ સભ્યો બે વીજ કરંટ લાગ્યો,એક નું મોત અન્ય બે સારવાર હેઠળ

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેર ના દાંડિયા બજાર વિસ્તારમાં લોઢવાડ ના ટેકરા ના પાછળ ના ભાગે નર્મદા નદીના કાંઠે આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તાર માં રહેતા મંજુ બેન ઉદય ઓડ જેઓ તેઓના મકાન બાહર આવેલ એન્ગલ પર કપડાં સુકાવી રહ્યા હતા દરમિયાન નજીકમાં આવેલ DEGVCL ના વીજ પોલ પરથી વાયર છુટો થતા ઉતરેલા કરંટ તેઓના મકાન ના પતરા ઉપર આવતા તેઓ ને કરંટ લાગ્યો હતો,

મંજુ બેન ને કરંટ લાગતા તેઓના બે પુત્રો અર્જુન ઉદય ઓડ અને ભરત ઉદય ઓડ નાઓ સહિત સ્થનિકો તેઓને બચાવવા માટે લાકડા ના સપાટા વડે તેઓને છોડાવી રહ્યા હતા દરમિયાન ત્રણેવ ને કરંટ લાગતા અર્જુન ઉદય ઓડ ,ઉ ૩૦ નાઓનું હોસ્પિટલ લઈ જતી વેળા જ મોત નીપજ્યું હતું,તો બીજી તરફ સમગ્ર ઘટનામાં ઘાયલ મંજુ બેન ઓડ અને તેઓના પુત્ર ભરત ઓડ ને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે,

Advertisement

સમગ્ર ઘટના ક્રમ બાદ સ્થાનિકોએ DGVCL સામે આક્ષેપ કર્યા હતા કે છેલ્લા ઘણા સમય થી તેઓના વિસ્તારમાં આવેલ વીજ પોલ ના વાયરો છુટા પડી ગયા છે જેનું રીપેરીંગ કાર્ય હાથ ધરવામાં આવે તેવી રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ જીઇબી ના તંત્ર દ્વારા યોગ્ય ધ્યાને ન લેતા સમગ્ર દુર્ઘટના સર્જઇ હોવાના આરોપ લગાવ્યા હતા..


Share

Related posts

નડિયાદ : ડાકોર બસસ્ટેશન તરફના રસ્તા પર ગંદકીથી રાહદારીઓ પરેશાન.

ProudOfGujarat

ભરૂચ શુકલતીર્થ રોડ પર થી ૧૨ થી વધુ શંકાસ્પદ ઓવરલોડ ટ્રકો ખાળખનીજ અને આરટીઓ વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવી હતી

ProudOfGujarat

ઝઘડિયા નજીક બે મોટરસાયકલ વચ્ચે અકસ્માતમાં એકનું મોત એકને ઇજા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!