Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયામાં બે દિવસ કોરોના રસીકરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો.

Share

*૪૫ વર્ષથી ઉપરના નાગરિકોને માટે મફત રસીકરણનું આયોજન

ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે ૪૫ વર્ષથી ઉપરના નાગરિકોને મફત કોરોનાની રસી આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયત તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝઘડિયાના ઉપક્રમે આ કાર્યક્રમ ત્રણ સ્થળોએ રાખવામાં આવ્યો છે.જે અંતર્ગત કોમ્યુનિટી હોલ સુલતાનપુરા, પ્રાથમિક કુમાર શાળા સુલતાનપુરા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝઘડિયા ખાતે તારીખ ૧ લી અને ૨ જી એપ્રિલના રોજ સવારે ૧૦ કલાકથી સાંજે ૪ કલાક સુધી રસીકરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ૪૫ વર્ષથી વધુ ઉંમરના નાગરિકોએ તેનો લાભ લેવા જણાવવામાં આવ્યુ છે. આ કોરોના રસીકરણ કાર્યક્રમમાં કોઈપણ તાલુકા કે કોઇ પણ જીલ્લાની વ્યક્તિ આધારકાર્ડ દર્શાવીને ઝઘડિયા ખાતે કોરોનાનું રસીકરણ કરાવી શકે છે તેમ વધુમાં જણાવાયુ છે.

Advertisement

ગુલામહુશેન ખત્રી:- રાજપારડી


Share

Related posts

નર્મદા 181 મહિલા હેલ્પલાઈને ઘર ભૂલેલી વૃદ્ધને પરિવાર પાસે પહોંચાડી.

ProudOfGujarat

મોબાઇલ સ્નેચિંગ કરી ભાગતા ઇસમને અંકલેશ્વર શહેર પોલીસે ઝડપી પાડી અનેક મોબાઈલ કબ્જે કર્યા.

ProudOfGujarat

શબ્દોના મહારથી, પ્રખર વક્તા, ચિત્રકાર, કલાકાર, રાજકીય નિષ્ણાંત, સામાજિક કાર્યકર અને ભરૂચના વરિષ્ઠ પત્રકાર જગદીશ પરમારનું નિધન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!