Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચમાં સ્વૈચ્છિક લોકડાઉનને મળેલ મિશ્ર પ્રતિસાદ…

Share

ભરૂચમાં આજથી બપોરે 12 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે. જેમાં દુકાનદારો, ધંધા-ઉદ્યોગો સાથે જોડાયેલા લોકોનાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે.

હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનાં કેસની સંખ્યામાં વધારો થતો જાય છે આથી વેપારી મંડળ, સંસ્થાઓ, કોર્ટ વગેરેમાં બંધ પાળવામાં આવે છે. તેવામાં ભરૂચમાં પણ વેપારી મંડળ દ્વારા નક્કી કરાયું હતું કે દુકાનદારો સ્વૈચ્છિક બંધ પાળે પરંતુ લોકોનો લોકડાઉનને મિશ્ર પ્રતિસાદ સાંપડયો છે. જેમાં મોટા ભાગની દુકાનો ભરૂચમાં ખુલ્લી રહી હતી, 70 ટકા દુકાનદારોએ દુકાનો ખુલ્લી રાખી હતી તો માત્ર 30 ટકા દુકાનદારો જ સ્વૈચ્છિક લોકડાઉનમાં જોડાયા હતા.

અહીં નોંધનીય છે કે ગત વર્ષે કોરોના મહામારી બાદ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ દૂધ અને અન્ય તમામ વસ્તુઓમાં ભાવ ઝીંકવામાં આવ્યો છે. આથી લોકોને એક સાંધો ત્યાં તેર તૂટે જેવી સ્થિતિમાં લોકડાઉન કરવું કેટલું યોગ્ય ? કોઈપણ વ્યક્તિને પોતાનું ગુજરાન ચલાવવા પૂરતી સાધન સામગ્રી, અનાજ કરિયાણું, પેટ્રોલ આ તમામ ખર્ચને પહોંચી વળવા માટે દુકાનદારો સ્વૈચ્છિક લોકડાઉનમાં ન જોડાયા હોય, આથી સરકાર દ્વારા મોંધવારીમાં અંકુશ લગાવવામાં આવે તો લોકોને લોકડાઉન પરવડે તેવી સ્થિતિ હાલ પ્રર્વતી રહી છે.

Advertisement

Share

Related posts

લોકોમાં નારાજગી વધતી જાય છે, તાત્કાલિક રસ્તા નવા બનાવો, સાંસદ મનસુખ વસાવાની માર્ગ અને મકાન વિભાગમાં રજુઆત

ProudOfGujarat

ભરૂચ : મીડિયાનાં અહેવાલો બાદ કોંગ્રેસનાં આગેવાનોએ સરકારી કચેરીઓમાં લોકડાઉનનાં સમયમાં સામાજિક સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલ કિટો જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચાડવા રજુઆત કરી હતી.

ProudOfGujarat

સુરત-હાર્દિક પટેલ સહિત પાસ આગેવાનોની અમદાવાદમાં થયેલી ધરપકડનો કેસ,પુણા વિસ્તારમાં લોકોના ટોળાએ BRTS બસને આગચંપી કરી હતી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!