Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચમાં કોવિડ સ્મશાન ખાતે અંતિમસંસ્કાર માટે લાગી એમ્બ્યુલન્સોની લાઈનો, છેલ્લા ૨૪ કલાકમાં ૫૦ થી વધુ મૃતદેહને અપાયા અગ્નિદાહ…

Share

ભરૂચ જિલ્લામાં કોરોનાની બીજી લહેર ઘાતક બની છે, એક તરફ વધતા જતા સંક્રમણને લઇ હોસ્પિટલો હાઉસફુલ બની છે, તો બીજી તરફ કોવિડ સ્મશાનમાં મૃતદેહોની કતાર યથાવત છે, છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ પ્રોટોકોલ આધીન ૫૦ થી વધુ મૃતદેહને અગ્નિદાહ આપવામાં આવ્યા છે, આજે વહેલી સવારથી બપોર સુધી એક સાથે ૧૫ મૃતદેહ આવતા સ્મશાનમાં મૃતદેહ લઈ એમ્બ્યુલન્સો અંતિમવિધિ માટે વેઇટિંગ લાઈનમાં જોવા મળી હતી.

જાણવા મળ્યા મુજબ કોવિડ સ્મશાનમાં ગતરોજ ૪૩ મૃતદેહોના અગ્નિસંસ્કાર તો આજે વહેલી સવારથી ૧૫ મૃતદેહોના અગ્નિસંસ્કાર થયા છે, તો બીજી તરફ કોવિડ પ્રોટોકોલને આધીન કબ્રસ્તાનમાં પણ અત્યાર સુધી અનેક મૃતદેહની દફનવિધિ કરવામાં આવી છે, વધતા જતા સંક્રમણ વચ્ચે ભરૂચ જિલ્લામાં અનેક દર્દીઓ દમ તોડી રહ્યા છે.

જિલ્લામાં દિવસેને દીવસે વધતા મૃત્યુ આંક જ્યાં લોકો માટે ચિંતાનો વિષય બન્યો છે તો તંત્રમાં માત્ર અત્યાર સુધી ૫૭ જેટલા મૃતદેહ સત્તાવાર નોંધાયા છે તેની સામે ૧૫૦૦ થી વધુ લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે, એટલે કે તંત્રના આંકડા અને સ્મશાન, કબ્રસ્તાનમાંથી સામે આવતા આંકડામાં મોટો ફરક જોવા મળી રહ્યો છે.

Advertisement

Share

Related posts

પિતા પુત્ર ઉપર હુમલો કરનાર માંગરોળ તાલુકા પંચાયતના ઉપપ્રમુખની ધરપકડ કરવા કોંગ્રેસે સમિતિએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

ભરૂચ : ધારાસભ્યો ખરીદવા વાળા કયારે વેન્ટિલેટર, ઓક્સિજન, એમ્બ્યુલન્સ પણ ખરીદી કરો, ધારાસભ્ય છોટુ વસાવાનાં પ્રહાર…

ProudOfGujarat

ભરૂચ શહેર માં કલાકો સુધી વીજ કાપ ના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા..જ્યારે સ્ટેશનરોડ સ્કૂલ માં વીજ કાપ વચ્ચે નેતાઓ બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવતા નજરે પડ્યા હતા …….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!