Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ દ્વારા વિરોધ : ટૂંક સમયમાં નિરાકરણ નહીં આવે તો હડતાળ પર ઉતરવાની ચીમકી.

Share

આજે ઇન્ટરનેશનલ નર્સ ડે નિમિત્તે સિવિલ હોસ્પિટલના સ્ટાફએ આજરોજ વિરોધ વ્યક્ત કર્યો જેમાં નર્સોના પ્રતિનિધિ તરીકે યુનાઈટેડ નેશન ફોર્મ થકી નર્સ દિવસે સરકારને અમુક માંગણીઓ કરવામાં આવી છે જેમાં દરેકને હાલની પરિસ્થિતને ધ્યાનમાં લઈને સમાન વેતન, સેન્ટ્રલ લેવલના ધોરણે વળતર મળી રહે સાથે નર્સીંગ એલાઉન્સ સેન્ટ્રલ સ્ટાફને નર્સોને જેમ 12 અને 24 ગ્રેડ આપવામાં આવે અને જયારે ઉચ્ચતર ધોરણે શિક્ષકોને 10,20 અને 30 ગ્રેડ આપવામાં આવે છે તેમ નર્સોને પણ સમાન બરાબરના હક મળે તેવા અનેક પ્રશ્નો છે.

આગળ ઘણીવાર આ બાબતે સરકારને રજુઆત કરવામાં આવી છે પરંતુ સરકારે આ અંગે કોઈ પગલું ભર્યું નથી. આજથી 17 મે સુધી ગુજરાતની દરેક નર્સો કાળી પટ્ટી ધારણ કરીને દર્દીઓને કોઈ પણ જાતનું નુકસાન અને હેરાનગતિ કર્યા વગર કામ ચાલુ રાખશે પરંતુ સરકાર ઊંઘ નહી ઉડાવે તો 18 મી મે થી નર્સિંગના ગવર્મેન્ટ ગ્રુપના હોદ્દેદારોના કહેવા મુજબ કોરોનાના કપરા સમયગાળા બાદ કામથી અડગા રહીને એક દિવસીય પ્રતીક હડતાળ કરશે, આ રીતે નર્સોએ સરકાર સામે આંગળી ચીંધી છે જેથી સરકાર પગલાં લે.

Advertisement

Share

Related posts

કરજણ નજીક ટ્રેલરે કપચી ભરેલા હાઇવા ટ્રકને ટક્કર મારતા કપચી રોડ પર પથરાતા ટ્રાફિક જામ સર્જાયો.

ProudOfGujarat

ઉતરકાશીમાં ફરવા ગયેલા ગુજરાતી પ્રવાસીઓની ગાડી ખીણમાં પડતાં રાજકોટના 9 લોકોના મોત

ProudOfGujarat

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી નર્મદા જિલ્લા શાખા, રાજપીપળાના ચેરમેન તરીકે નાંદોદ ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખની નિમણૂક કરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!