Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં કોરોના બાદ મ્યુકરમાઇકોસીસનાં કેસમાં જંગી વધારો : તંત્ર સતર્ક.

Share

ભરૂચ જિલ્લામાં કોરોના મહામારીને પગલે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે ઘણા લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે તેવામાં કોરોનાની બીજી લહેરના કેસોમાં ઘટાડો થઇ રહ્યો છે ત્યારે એક નવો રોગ મ્યુકરમાઇકોસીસ સામે આવ્યો છે. આ રોગ વધુ પડતા કોરોનાથી સારવાર લઈ રહેલ અને કોરોનાની સારવાર બાદ લોકોમાં જોવા મળે છે. હવે આ રોગે ભરૂચમાં પ્રવેશ કર્યો છે. કોરોના સાથે મ્યુકરમાઇકોસીસના વધુ નવા કેસો સામે આવી રહ્યા છે.

ભરૂચ જિલ્લામાં મ્યુકરમાઇકોસીસના 23 વધુ કેસો સામે આવ્યા હતા. ભરૂચ જિલ્લામાં હાલ આ રોગના કેસનો આંકડો 35 પર પહોંચ્યો છે હાલ ભરૂચ જિલ્લામાં મ્યુકરમાઇકોસીસના રોગની સારવાર અંગે કોઈ સુવિધા ઉપલબ્ધ નથી જેને પગલે દર્દીઓમે વડોદરા તથા અમદાવાદની હોસ્પિટલોમાં તાત્કાલિક ખાસેડવામાં આવી રહ્યા છે.

Advertisement

Share

Related posts

ગુજરાત સરકાર દ્વારા જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકાતા ફટાકડા ફોડવાના રસિકો નિરાશ….

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાના પ્રજાલક્ષી પ્રશ્નોને લઇ જીલ્લા વહીવટીતંત્રને સામાજિક કાર્યકરની ધારદાર રજુઆત

ProudOfGujarat

ઝગડિયાની નામાંકિત કંપની સિકા ઇન્ડિયા પ્રા.લી. વેસ્ટ જમીનમાં નિકાલ કરતા ઝડપાઇ.જીપીસીબી ને ફરિયાદ કરાતા તપાસ હાથ ધરાઈ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!