Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં કોરોના બાદ મ્યુકરમાઇકોસીસનાં કેસમાં જંગી વધારો : તંત્ર સતર્ક.

Share

ભરૂચ જિલ્લામાં કોરોના મહામારીને પગલે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે ઘણા લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે તેવામાં કોરોનાની બીજી લહેરના કેસોમાં ઘટાડો થઇ રહ્યો છે ત્યારે એક નવો રોગ મ્યુકરમાઇકોસીસ સામે આવ્યો છે. આ રોગ વધુ પડતા કોરોનાથી સારવાર લઈ રહેલ અને કોરોનાની સારવાર બાદ લોકોમાં જોવા મળે છે. હવે આ રોગે ભરૂચમાં પ્રવેશ કર્યો છે. કોરોના સાથે મ્યુકરમાઇકોસીસના વધુ નવા કેસો સામે આવી રહ્યા છે.

ભરૂચ જિલ્લામાં મ્યુકરમાઇકોસીસના 23 વધુ કેસો સામે આવ્યા હતા. ભરૂચ જિલ્લામાં હાલ આ રોગના કેસનો આંકડો 35 પર પહોંચ્યો છે હાલ ભરૂચ જિલ્લામાં મ્યુકરમાઇકોસીસના રોગની સારવાર અંગે કોઈ સુવિધા ઉપલબ્ધ નથી જેને પગલે દર્દીઓમે વડોદરા તથા અમદાવાદની હોસ્પિટલોમાં તાત્કાલિક ખાસેડવામાં આવી રહ્યા છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર પંથકમાં વધતા જતાં ચોરી બનાવો : મોદીનગર વિસ્તારમાં એક લકઝુરિયર્સ કારને નુકશાન પહોંચાડી સ્વીફ્ટ કારની ચોરી કરી તસ્કરો ફરાર.

ProudOfGujarat

કેવડિયા : છ પોકેટમારોને ઝડપી પાડતી નર્મદા એસ.ઓ.જી તથા પેરોલ ફલૉ પોલીસ

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના પાણેથા ગામના ખેડૂતને ભારત સરકાર દ્વારા કિસાન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!