Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં સીટી બસ સેવા સામે આક્રમક બન્યા રીક્ષા ચાલકો, કહ્યું મન ફાવે ત્યાંથી પેસેન્જરો બેસાડીને લઇ જાય છે સીટી બસ, આ નીતિ બંધ નહિ કરે તો પરિવાર સાથે રસ્તા પર બેસી જઈશું…!!

Share

ભરૂચ શહેરમાં સીટી બસ સેવા ચાલુ કરવામાં આવતા જ રીક્ષા ચાલકો લાલઘૂમ બન્યા છે, કોરોના મહામારીના લોકડાઉન બાદથી આર્થિક તંગી અનુભવતા રીક્ષા ચાલકો હવે તંત્ર પાસે સીટી બસ સેવાને લઇ રજુઆત કરવા માટે પહોંચી રહ્યા છે.

રીક્ષા એસોસિએશનના નેજા હેઠળ કલેક્ટર કચેરી ખાતે ભેગા થયેલા રીક્ષા ચાલકોએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી, અને રજુઆતમાં જણાવવામાં આવ્યું હતું કે રીક્ષા ચાલકો ટ્રાફિકને અડચણ રૂપ હોય તો પોલીસ કાર્યવાહી કરે છે પરંતુ સીટી બસો મન ફાવે ત્યાં ટ્રાફિકને અડચણ થઇ રસ્તે ઉભેલા પેસેન્જરોને જે-તે સ્થાનેથી બેસાડી લે છે જેના કારણે રીક્ષા ચાલકોને આર્થિક રીતે ભારે ફટકો પડી રહ્યો છે.

વધુમાં જણાવવામાં આવ્યું હતું કે રીક્ષા ચાલકો સીટી બસનો વિરોધ નથી કરતા પરંતુ જે-તે બસ સ્ટેન્ડ પરથી જ પેસેન્જરોને બેસાડવામાં આવે તે પ્રકારની સૂચના બસના સંચાલકોને આપવી જોઈએ જેથી રીક્ષા ચાલકોની પણ રોજી રોટી ચાલતી રહે અને તેઓએ વધુમાં જણાવ્યું હતું કે જો તંત્ર રીક્ષા ચાલાકોની રજુઆત ધ્યાન ઉપર નહિ લે તો તેઓ પરિવાર સાથે રસ્તા ઉપર ઉતરી આવી બેસી જઈશું તેવી પણ ચીમકી ઉચ્ચારવામા આવી હતી.

Advertisement

Share

Related posts

નડીયાદ જે.એન્ડ.જે કોલેજમાં મહેદી સ્પર્ધા યોજાઇ.

ProudOfGujarat

ઉમરપાડાનાં ચોખવાડા ગામે માધ્યમિક શાળામાં ટીબી જનજાગૃતિ અભિયાન અંતર્ગત પોસ્ટર સ્પર્ધા યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ : ડો. બાબા સાહેબ આંબેડકર વિશે સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરનાર ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!