Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લામાં વેકસીનેશન મહાઅભિયાનનો શુભારંભ : ઓમકારનાથ ભવન ખાતેથી ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે શુભારંભ કરાયો.

Share

રાજ્યભરમાં આજથી શરૂ થઈ રહેલા મહાઅભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લામાં શહેરના ઓમકારનાથ ઠાકુર ભવનમાં ભરૂચ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે અધ્યક્ષ સ્થાનેથી જણાવ્યું કે, પ્રજાજનોએ સમાજમાં જે જુની માન્યતાઓ છે તેમાંથી બહાર આવીને કોરોનાની વેક્સીનના બંને ડોઝ લેવા જોઈએ. ધારાસભ્યએ વધુમાં જણાવ્યું કે, કોરોના વેક્સીન મહાઅભિયાનની સાથોસાથ આજે વિશ્વમાં યોગ દિવસ નિમિત્તે જણાવ્યું કે, વેક્સીન તો જરૂરી છે તેની સાથે રોગોથી બચવા યોગાસનો કરવા પણ જરૂરી છે જેથી શારિરીક તેમજ માનસિક બિમારીઓથી બચી શકાય છે.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયન, નિવાસી અધિક કલેક્ટર જે.ડી.પટેલ, પ્રાંત અધિકારી પ્રજાપતિ, જિલ્લા આગેવાન મારૂતિસિંહ અટોદરીયા, નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ સુરભીબેન તમાકુવાલા, આરોગ્ય વિભાગના કર્મચારી અને પદાધિકારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા આરોગ્ય અધિકારી જે.એસ.દુલેરાએ સ્વાગત પ્રવચનમાં વેક્સીનની અને તેના મહાઅભિયાન અંગેની વિગતવાર આંકડાકીય માહિતી આપી હતી. અંતમાં આભારદર્શન તાલુકા હેલ્થ અધિકારીએ કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે આજથી વેક્સીનેશન મહાઅભિયાન જિલ્લામાં ૧૪૩ કેન્દ્રો પર પ્રારંભ થઈ રહ્યો છે આ પૈકીના જિલ્લાના ૨૫ કેન્દ્રો પર મહાનુભાવો-પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કોરોના જાગૃતિ અંગે તેની વેક્સીન લેવા અંગે ફિલ્મ દર્શાવવામાં આવી હતી. કાર્યક્રમ બાદ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ તેમજ મહાનુભાવોએ ઓમકારનાથ હોલ ખાતેના વેક્સીનેશન બુથની મુલાકાત લઈ વેક્સીનેશન લેનારને પ્રોત્સાહિત કર્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ રેલ્વે સ્ટેશન નજીક પાલીથી હૈદરાબાદ જતી રણકપુર એકસપ્રેસ ટ્રેનમાંથી માતા અને પુત્રી ગુમ થઇ જતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી.

ProudOfGujarat

પાંચબત્તી વિસ્તારમાના રંગઉપવનના આધુનિકરણ અંગે વર્ષોથી અપાતા લોલીપોપ… કોણે આપ્યા અને કેમ આપ્યા ?

ProudOfGujarat

નર્મદાના ગોરા ઘાટ ઉપર આરતીના ચાર્જ લેવા બાબતે સાધુ સંતોએ મુખ્યમંત્રીને ઉદ્દેશીને કલેકટરને આવેદન આપ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!