Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ દહેજ કંપની દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

Share

અત્યંત વધી રહેલા પ્રદુષણને અટકવવા માટે દેશમાં ઘણા ઉપાયો થઇ રહ્યા છે જેમાં સૌથી મહત્વનો એક ઉપાય છે તે છે વૃક્ષારોપણ. વૃક્ષારોપણ ખુલ્લી જગ્યામાં, રસ્તાની બંને બાજુમા, મોટી મોટી કંપનીઓમાં, શાળાઓમાં, પડતર જમીનમાં વૃક્ષ વાવવામાં આવે છે પરંતુ સાથે તેનું જતન કરવાનો પણ સંકલ્પ કરવામાં આવે છે જેને પગલે વૃક્ષોની સંખ્યામાં તો વધારો થાય જ છે પણ તેની સાથે કુદરતનું સૌંદર્ય પણ વધારી શકાય છે.

ભરૂચ જિલ્લો એક એવો જિલ્લો છે જેમાં ચારેય તરફ કેમિકલ કંપનીઓ આવેલી છે જેથી વૃક્ષઓનું જતન કરવું એ આવશ્યક વસ્તુ છે. જેથી ભરૂચ કલેક્ટરના નિર્દેશન અનુસાર આજરોજ ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ દહેજ કંપની દ્વારા સી.એસ.આર. યોજના હેઠળ અટાલી આશ્રમથી રહિયાદ સુધીના એક કિલોમીટરના વિસ્તારમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જેમાં પરેશ ચૌધરી એસ.એફ. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, ભરૂચ. એમ.સનથકુમાર, યુનિટ હેડ, જી. એફ. એલ., નીરજ અગ્નિહોત્રી, યુનિટહેડ જી. એફ. એલ -2, ડો. સુનિલ ભટ્ટ, હેડ એચ આર એડમીન જી. એફ. એલ. સહિત કંપનીના સિનિયર મેનેજમેન્ટના કર્મચારીઓ હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જી.આઈ.ડી.સીમા આવેલ ગોકુલધામ એપાર્ટમેન્ટ ઉપરથી અગમ્ય કારણોસર યુવાને ઝંપલાવી આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે.

ProudOfGujarat

નર્મદા જીલ્લાનાં ગામડાઓમાં કોરોના સંક્ર્મણ વધતા 20 જેટલી આરોગ્ય વિભાગની ટીમો કાર્યરત કરાઇ.

ProudOfGujarat

સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા ગોધરા સિવીલમાં સ્વચ્છતા અભિયાન…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!