Proud of Gujarat
FeaturedGujaratINDIA

શાળાઓ ક્યારે થશે અનલોક ..? : ભરૂચ : શાળા સંચાલક મંડળ દ્વારા ધો. 9 થી 12 ના વર્ગો શરૂ કરવા પરવાનગી આપવા જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ રજુઆત.

Share

રાજ્ય સરકારે ધોરણ 12 અને કોલેજના વિદ્યાર્થીઓ માટે ઓફલાઇન શાળા-કોલેજ શરૂ કરવાનો નિર્ણય લીધા બાદ હવે ધોરણ 9 થી 11 ની શાળાઓ શરૂ થાય તે માટે ભરૂચ જીલ્લાનાં શાળા સંચાલક દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ કરાઈ રજુઆત.

રાજ્યમાં ધોરણ 12 અને કોલેજના વિદ્યાર્થીઓ માટે શાળા-કોલેજોમાં જ શૈક્ષણિક કાર્ય આપવાનું 15 જુલાઈથી હાથ ધરાયું છે. આ સાથે ઓનલાઇન શિક્ષણ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન મોડ પણ ચાલુ છે ત્યારે રાજ્ય સરકાર ધો.9 થી 11 ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઇન શિક્ષણ ચાલુ કરવાની ગતિવિધિ હાથ ધરે તેવું ભરૂચ જિલ્લા શાળા સંચાલક મંડળો ઈચ્છી રહ્યા છે.

Advertisement

કોરોનાનું સંક્રમણ હવે ઘણું ઘટી રહ્યું છે જેની સામે શાળાઓ શરૂ થવી એ હિતાવહ છે જેથી જિલ્લા શિક્ષણ અધિકારીને આજરોજ રજૂઆત કરવામાં આવી હતી. સરકારે જિમ, સ્વિમિંગ પૂલ, થિયેટર સહિત કોવિડની એસઓપીના પાલન સાથે ચાલુ કરવાની મંજૂરી આપી છે.

આથી હવે ધો.9 થી 11 ની શાળા ચાલુ કરવા માટે ચાલુ સપ્તાહે નિર્ણય કરાય તેવી શાળા સંચાલક મંડળ દ્વારા માંગ કરવામાં આવી છે. સરકાર જો ટ્યૂશન ક્લાસીસમાં ધો. 9 થી 12 માટે મંજૂરી આપી શકે છે તો સ્કૂલોને પણ આપવી જોઈએ.

દરેક જિલ્લા સંઘ પોતાના જિલ્લાના કલેક્ટરને ધોરણ 9 થી 12 ના વર્ગો શરૂ કરવા માટેની રજૂઆત કરશે. આ પહેલાં સંચાલકોએ શિક્ષણમંત્રીને રજૂઆત કરાઈ હતી.


Share

Related posts

79 વર્ષના થયા બિગ બી : આખા દેશે પાઠવી જન્મદિવસની શુભેચ્છાઓ

ProudOfGujarat

ભાડભૂત નજીકથી ખડખડ વહેતી રેવાના કાંઠે ઉત્સવમય માહોલ છવાયો.સાથે જ માછીમારીની મોસમનો પ્રારંભ કરાયો.જાણો રસપ્રદ વિગત…

ProudOfGujarat

ભરૂચ જિલ્લા સમસ્ત આહીર સમાજ દ્વારા ખોડીયાર માતાજીના મંદિરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!