Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : દહેગામ ચોકડીની અલનુર સોસાયટીમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી લાખોની ચોરી કરી.

Share

ભરૂચ અને તેના અંતરિયાળ વિસ્તારોમાં ચોરીના બનાવો ઘણા વધી રહ્યા છે, ગેરકાનૂની કામને અંજામ આપનારાઓ ભરૂચ પંથકમાં બેફામ બન્યા છે ભરૂચના શેરપુરાથી થોડેક અંશે દૂર આવેલ દહેગામને ચોરોએ નિશાનો બનાવ્યો અને સોના-ચાંદીના દાગીનાની લાખોની મત્તાની ચોરી કરી હતી.

ભરૂચ અને દહેજને જોડતા મુખ્ય માર્ગ ઉપર આવેલ દહેગામને તસ્કરોને નિશાનો બનાવ્યો હતો, બનાવ અંગે મળતી માહિતી મુજબ દહેગામમાં એક બંધ મકાનમાં કોઈ અવરજવર ન કરી રહ્યું હતું તે સમય દરમિયાન તસ્કરોએ બંધ મકાને નિશાન બનાવ્યું હતું, મકાનના નકુચા તોડીને ઘરમાં ઘૂસી અને તિજોરીમાં રહેલ સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમની ચોરી કરી હતી.

Advertisement

બનાવ અંગે મકાન માલિકને જાણ થતાં મકાન માલિકના પગ તળીએથી જમીન ખસી ગઈ હતી અને તેમના જણાવ્યા મુજબ બંધ મકાનમાંથી સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમ મળીને રૂ. 3.89 લાખની ચોરી થઈ હતી જે અંગે તેમને રૂરલ પોલીસને જાણ કરી ગુનો નોંધાવ્યો હતો. જે અંગે રૂરલ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


Share

Related posts

ચુડા તાલુકાના ખાડીયા ગામ પાસે રેતીના પ્લાન્ટ પાસે એક વ્યક્તિનુ હાઈટેન્સન લાઈનમાં સોટ લાગતા ઘટના સ્થળે મોત નિપજયું હતું

ProudOfGujarat

ભરૂચના સિવીલ રોડ ઉપર મારૂતિ વાનમાં આગ લાગતા દોડધામ, સદનસીબે કોઈ જાનહાની નહિ.!

ProudOfGujarat

ભરૂચ : 108 ઇમરજન્સી સેવા દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!