Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ અને અંકલેશ્વર ખાતે રૂપાણી સરકારના પાંચ વર્ષની ઉજવણીના ભાગરૂપે રોજગાર દિવસની ઉજવણી કરાઇ.

Share

સમગ્ર રાજ્યમાં રૂપાણી સરકારના સફળતાના પાંચ વર્ષ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે જેના ભાગરૂપે આજરોજ રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલ પંડિત ઓમકારનાથ ઠાકુર ભવન ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ચેરમેન સિશપાલ સિંહ રાજપૂતની અઘ્યક્ષતામા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને અંકલેશ્વર ખાતે પણ રોજગાર દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં વિધાનસભાના મુખ્ય દંડક પંકજ દેસાઈ રહ્યા ઉપસ્થિત હતા. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતા. ભરૂચ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલની આગેવાની હેઠળ કાર્યક્રમ યોજાયો હતો. કોરોના મહામારી દરમિયાન લોકોની આર્થિક સ્થિતિ ઘણી નબળી પડી હતી જે મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ઝઘડિયા ખાતે આઇટીઆઇ કર્મચારીઓએ બે માંગણીઓ બાબતે મામલતદારને આવેદન આપ્યું.

ProudOfGujarat

વલસાડ : કપરાડાના શાહુડા ગામમાં ધર્માંતરણની પ્રવૃત્તિ અને ગેરકાયદે દેવળ બનાવવા મુદ્દે વિરોધ કરી આવેદન પાઠવાયું.

ProudOfGujarat

પંચમહાલ જિલ્‍લામાં ખાસ ગ્રામ સભાનું આયોજન ૨જી ઓક્ટોબરથી ૩૧મી ડિસેમ્‍બર દરમિયાન જિલ્‍લામાં ૪૮૭ ખાસ ગ્રામ સભાઓ યોજાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!