Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ: ઔદ્યોગિક એકમોને કારણે થઈ રહેલા ખેતીને નુકશાન અર્થે કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલાએ સરકારને લેખિત રજૂઆત કરી.

Share

હાલ ભરૂચ, જંબુસર, વાગરા, દહેજ અને વડોદરા જિલ્લાના કરજણ શિનોર, પાદરા અને ભરૂચ તાલુકાનાં અનેક ગામડાઓના તુવેર, કપાસ, શાકભાજી સહિતના ખેતીલાયક પાકોમાં સ્થાનિક ઔદ્યોગિક એકમોના વાયુ પ્રદૂષણને કારણે ખેતી નિષ્ફળ જવા પામી છે.

અગાઉ પણ ખેતીના નુકશાનના સર્વે બાબતે અનેક રજૂઆતો કોંગ્રેસી અગ્રણી સંદીપ મગરોલા દ્વારા કલેક્ટર ભરૂચ, વડોદરા અને સરકારમાં કરવામાં આવી છે. હાલમાં ચોમાસુ પણ નબળું છે એવામાં ખેડુતો પાસે ખેતરોમાં બગડેલો પાક સાફ કરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. ઘણા ગામડાના ખેડૂતોએ નિષ્ફળ ગયેલા પાકને સાફ કરવાનું શરૂ કરી દીધું છે. આવા સંજોગોમાં સરકાર તરફથી ખેતીવાડી વિભાગે સર્વેની કામગીરી હજી સુધી શરૂ કરી નથી.

Advertisement

જે ખેડૂતોએ ખેતરમાં નિષ્ફળ ગયેલો પાક સાફ કરી દીધો છે એ ખેડૂતો આ સર્વેથી વંચિત ન રહી જાય એ માટે કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલાએ કલેકટર ભરૂચ અને વડોદરા તથા મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી ગુજરાત રાજ્યને પત્ર લખી તત્કાલી સર્વે અંગે શરૂઆત કરવા માંગ કરી હતી.


Share

Related posts

મહિલા પોલીસ સ્ટેશનના PSI વૈશાલીબેન આહિરની અસ્મિતા વિકાસ કેન્દ્રની મુલાકાત, મનો દિવ્યાંગ બાળકો સાથે વિતાવ્યો હૂંફભર્યો સમય

ProudOfGujarat

વડોદરાના ભારતીય હેરોલ્ડ ડીસોઝાને ન્યુયોર્ક ખાતે “હ્યુમન રાઇટ્સ હીરો એવોર્ડ 2023 “થી સન્માનિત કરાયા

ProudOfGujarat

ખૈલા હોબે : ભરૂચ જિલ્લાના ૪૩ પોલીસ કર્મીઓની હેડક્વાર્ટર ખાતે બદલી, સ્ટેટ મોનીટરીંગ સેલના એક બાદ એક દરોડાએ પોલીસ સ્ટેશનોમાં નવાજુની કરી..?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!