Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નર્મદા માર્કેટમાં ફેબ્રિકેશનમાં કામ કરતાં ઇસમની ચપ્પુના ઘા મારી હત્યાથી ચકચાર….!

Share

ભરુચ પંથકમાં હત્યાનાં કેસો દિવસે અને દિવસે ઘટવાની જગ્યાએ વધી રહ્યા છે. ગતરોજ રાત્રિના સમયે ભરુચ જિલ્લાના નર્મદા માર્કેટમાં એલ.ઇ.ડી. લાઇટ હાઉસના વર્કશોપમાં કોઈ પણ જાતના અંગત કારણો વગર કોઈ અજાણ્યા શખ્સે તીક્ષ્ણ ચપ્પુ વડે ઇસમને ઘા મારતા યુવકનું ઘટના સ્થળ પર જ મોત નીપજી ગયું હતું. જે અંગે ગુનો એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાતા ઘટના ઘણી ચકચારી બની જવા પામી હતી.

બનાવ અંગે મળતી માહિતી અનુસાર, ભરુચ જિલ્લાના નર્મદા માર્કેટમાં આવેલ એલ.ઇ.ડી. લાઇટ હાઉસના વર્કશોપમાં ફેબ્રિકેશનનું કામ કરી રહેલા આર્યનહુસેન ઝહરુદ્દીન મન્સૂરીઓની તેઓની જ કોમના ઈસમ નામે અઝરુદ્દીન આસિફ મન્સૂરીનાએ અચાનક જ વર્કશોપ પર આવી અને ચપ્પુ કાઢી અને કામ કરતા આર્યનહુસેનને પેટના ભાગે, છાતીના ભાગે, ગળાના ભાગે અને હાથના ભાગે એક પછી એક ચપ્પુના ઘા ઝીંકી નાખ્યા હતા.

એક પછી એક ઉપરાચાપરી ચપ્પુના ઘા મારતા યુવકનું તે જ ક્ષણે મોત નીપજયું હતું. તે સમય દરમિયાન વર્કશોપમાં અન્ય કામ કરનાર યુવક બલવંતસિંહ મહેન્દ્રસિંહ પઢિયારને અઝરુદ્દીન આસિફ મન્સૂરીનાએ જાનથી મારી નાંખવાની ધમકી આપી અને હત્યારી ત્યાંથી નાસી અને ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટનાથી ભયભીત થયેલા બલવંતસિંહ મહેન્દ્રસિંહ પઢિયારએ એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોચી આવ્યો હતો. જેમાં મૃતદેહનો કબ્જો કરી અને તેને પી.એમ અર્થે નજીકની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. જેમાં હત્યારાની તપાસ અંગે તજવીજ હાથધરી આગળની કાર્યવાહી કરી હતી.

Advertisement

રિદ્ધિ પંચાલ, ભરુચ


Share

Related posts

ભરૂચ : ગાયત્રીનગર જલારામ મંદિર ખાતે નવગ્રહના મંદિરના બાંધકામ પૂર્વે શ્રી સત્યનારાયણ દેવની કથા કરાઈ.

ProudOfGujarat

પડતર માંગોને લઇને ST નિગમના કર્મીઓ તા. 22 મીએ બસનાં પૈડાં થંભાવશે.

ProudOfGujarat

સીતા નવમીના અવસરે અભિનેત્રી કૃતિ સેનને ફિલ્મ ‘આદિપુરુષ’નું ઓડિયો ટીઝર રિલીઝ થયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!