Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નેત્રંગ તાલુકાના યુવાનનું અંકલેશ્વરમાં ટ્રેનની અડફેટે આવી જતા મોત.

Share

અંકલેશ્વરથી ભરૂચ જવાના રેલવે ડાઉન લાઇન ટ્રેકની વચ્ચે કોઈ અગમ્ય કારણોસર ટ્રેનની નીચે પડી જતા મોત નીપજ્યુ હતું. અંકલેશ્વર પંથકમાં છેલ્લા બે મહિનામાં ટ્રેન સામે આવી અને આપધાતના બનાવો ઘણા વધી રહ્યા છે તેની પાછળ કોરોના મહામારી પછીની બેકારી છે..? લોકો પોતાના જીવનથી નાસીપાસ થઈ અને આપઘાત કરી રહ્યા છે.

બનાવ અંગે મળતી માહિતી અનુસાર શરદભાઈ મનહરભાઈ વસાવા ઉંમર વર્ષ ૨૪ રહે બિલાઠા નિશાળ ફળિયું તાલુકો નેત્રંગ જિલ્લો ભરૂચ તેઓ GRD માં ઘણા સમયથી ફરજ નિભાવતા હતા થોડા દિવસથી તેઓ રજા પર હતા. ગઈકાલે બપોરે પોતાના ઘરેથી જણાવ્યા વગર નીકળી ગયા હતા દરમિયાન અંકલેશ્વરથી ભરૂચ જવાના રેલ્વે ડાઉન લાઇન ટ્રેક પર ટ્રેનની નીચે પડી જતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે આ ઘટનાની જાણ અંકલેશ્વર શહેર પોલીસને થતા શહેર પોલીસ ઘટના સ્થળે પહોંચી ડેડ બોડીનો કબજો મેળવી સરકારી હોસ્પિટલ ખાતે પી.એમ અર્થે ખસેડી વધુ તપાસ હાથઘરી હતી. જોકે આ ટ્રેન નીચે પડી જતાં મોત છે કે સુસાઇટ છે તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Advertisement

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

અરવલ્લી : મેઘરજ પોસ્ટ ઓફિસનું સર્વર બે દિવસથી બંધ રહેતા ગ્રાહકોને ધરમધક્કા, ગ્રામ્ય વિસ્તારના પ્રજાજનોના આર્થિક કામકાજ અટક્યા

ProudOfGujarat

જાતિ અંગેના ખોટા પ્રમાણપત્રો રદ કરવા માટે અન્ય પાર્ટીઓ પર આક્ષેપ કરતા સાંસદ મનસુખ વસાવા…

ProudOfGujarat

વડોદરામાં કોવિડની ત્રીજી લહેરને અનુલક્ષીને ગોત્રી હોસ્પિટલનો પ્રસૂતિ અને સ્ત્રી રોગ વિભાગ સુસજ્જ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!