Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી યુવાને ઝંપલાવ્યું

Share

ભરૂચની ભાગોળમાં વહેતી નદીમાથી ફરી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને ભરુચ નર્મદા મૈયા બ્રિજ પરથી છલાંગ લગાવી અને મોતને ઝંપલાવ્યું હતું . બનાવ અંગે મળતી માહિતી અનુસાર , ભરૂચના નંદેલાવ રોડ પર રહેતા બાદશાહ સિંગ રાજપૂતના પુત્ર નાગેન્દ્ર રાજપુત તેના બનેવીએ દુકાનના હિસાબ બાબતે બોલાચાલી થતાં મનને દુખ લાગી આવતા બુધવારે રાત્રી ના પોણા નવ વાગ્યાના અરસામાં નર્મદા મૈયા બ્રિજ પર આવેલ પગદંડી માર્ગ ગયો હતો અને નર્મદા નદીમાં કૂદી મોતને વ્હાલયુ હતું .

જે બાદ જાણ થતા પરિવાર દોડી આવ્યો હતો આ અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો અને ભરૂચ તેમજ અંકલેશ્વર ફાયર ટીમ ના તરવૈયા ઓ તેમજ સ્થાનિક નાવિકો ની મદદ થી મૃતક નાગેન્દ્ર સિંગના મૃતદેહ ની નર્મદા નદી માં શોધખોળ આરંભી હતી.આ અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે સ્થાનિક રહીશો દ્વારા જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતદેહને અંકલેશ્વર ખાતે પી.એમ અર્થે ખસેડાયો હતો.અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી .

Advertisement

Share

Related posts

ઝાડેશ્વરની સોસાયટીઓમાં તસ્કરોના આંટાફેરા? CCTVમાં શંકાસ્પદ શખ્સો કેદ : તહેવારો વચ્ચે રાત્રિના સમયે ઘરોના કંપાઉન્ડમાં ઘૂસતા શખ્સોની હિલચાલથી સ્થાનિકોમાં ફફડાટ

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાનાં બાવાગોર દરગાહનો ચશ્મો વધાવવાનો મેળો બંધ રાખવામાં આવ્યો.

ProudOfGujarat

મણિપુર હિંસા પર જ્યોતિ સક્સેના કહે છે, “અમે ફરી એકવાર માનવતા અને એકતા પર ગર્વ કરવામાં નિષ્ફળ ગયા છીએ.”

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!