Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : બોરભાઠા બેટમાં ખેતરોમાં આગ લાગવાથી ખેડૂતોનો પાક બળીને ખાખ.

Share

ભરૂચનાં બોરભાઠા બેટમાં ખેતરોમાં કોઈ કારણોસર આગ લાગી હતી જેથી ખેડૂતોનો તમામ પાક બળી જવાથી ભારે નુકસાની થવાની ભીતિ સેવાઇ રહી છે.

ગત વર્ષે અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને પાક નષ્ટ થવાથી ભારે નુકસાન થયું હતું અને આજે અચાનક બોરભાઠા બેટમાં ખેડૂતોનાં ખેતરોમાં આગ લાગી જતાં તેઓનો ઊભો પાક બળીને ખાખ થઈ ગયો હતો. ખેતરમાં તણખલું પડવાને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન જણાઈ રહ્યું છે.

અહીં નોંધનીય છે કે ખેતરમાં અચાનક આગનાં બનાવોમાં જાગૃત નાગરિકો જણાવે છે કે આ રીતે ખેતરમાં આગ લાગવી એક આશ્ચર્યજનક બાબત કહી શકાય છે, અહીં તણખલું ક્યાથી પડયું? કેવી રીતે પડયું? ખેતરમાં ત્યારે કોણ હતું? સહિતનાં સવાલો ખેતરમાં આગ લાગી કે લગાડવામાં આવી હોય તેવું વિચારવા મજબૂર કરે છે.

Advertisement

Share

Related posts

વિરમગામના શિવ મહેલ બગીચામાં કુંવારીકાઓને સુકામેવાનું વિતરણ કરાયુ…

ProudOfGujarat

અંકલેશ્વર : ઈનર વ્હીલ કલબ દ્વારા દસ દિવસીય યોગ શિબરનું આયોજન.

ProudOfGujarat

વડોદરાના ધનપરી ઇકો ટુરિઝમ સેન્ટરમાં નવી સુવિધા : પ્રફુલ્લિત વાતાવરણમાં પ્રકૃતિના ખોળે બેઠકો યોજી શકાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!