Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : બોરભાઠા બેટમાં ખેતરોમાં આગ લાગવાથી ખેડૂતોનો પાક બળીને ખાખ.

Share

ભરૂચનાં બોરભાઠા બેટમાં ખેતરોમાં કોઈ કારણોસર આગ લાગી હતી જેથી ખેડૂતોનો તમામ પાક બળી જવાથી ભારે નુકસાની થવાની ભીતિ સેવાઇ રહી છે.

ગત વર્ષે અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને પાક નષ્ટ થવાથી ભારે નુકસાન થયું હતું અને આજે અચાનક બોરભાઠા બેટમાં ખેડૂતોનાં ખેતરોમાં આગ લાગી જતાં તેઓનો ઊભો પાક બળીને ખાખ થઈ ગયો હતો. ખેતરમાં તણખલું પડવાને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન જણાઈ રહ્યું છે.

અહીં નોંધનીય છે કે ખેતરમાં અચાનક આગનાં બનાવોમાં જાગૃત નાગરિકો જણાવે છે કે આ રીતે ખેતરમાં આગ લાગવી એક આશ્ચર્યજનક બાબત કહી શકાય છે, અહીં તણખલું ક્યાથી પડયું? કેવી રીતે પડયું? ખેતરમાં ત્યારે કોણ હતું? સહિતનાં સવાલો ખેતરમાં આગ લાગી કે લગાડવામાં આવી હોય તેવું વિચારવા મજબૂર કરે છે.

Advertisement

Share

Related posts

નર્મદામાં જીવના જોખમે કોરોના મહામારીમાં કામ કરતી ફિમેલ હેલ્થ વર્કરો જ પગારથી વંચિત!

ProudOfGujarat

અભિનેત્રી ઉર્વશી રૌતેલાના સંપૂર્ણ લુકની કિંમત 2 લાખ રૂપિયાથી વધુ, જુઓ આરબ સુપરસ્ટાર મોહમ્મદ ‘રમાદાન’ સાથેની આ થ્રોબેક તસવીર.

ProudOfGujarat

ભરૂચ અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 નજીક ટેમ્પોનું શીર્ષાસન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!