Proud of Gujarat
FeaturedGujaratINDIA

થી અલખધામ બ્રાહ્મીક ગાયત્રી મંદિર ઝાડેશ્વર, ભરુચ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

Share

સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરુચ, સામાજિક વનીકરણ ભરુચ, પ.પૂ સદગુરુ અલખગીરીજી મહારાજ તથા શ્રી મહંત માતા શિવાનંદગીરીના સાન્નિધ્યમાં તથા પટેલ પરિવહન ના જિગ્નેશભાઇ અને વિકાસ સ્ટેશનરી ના ભરતભાઈ ના સહયોગ થી અલખધામ બ્રાહ્મીક ગાયત્રી મંદિર ઝાડેશ્વર, ભરુચ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાંં સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરુચના ફાઉન્ડર હેમાબેન પટેલ, પ્રમુખ બિનાબેન શાહ તથા સભ્યો, સામાજિક વનીકરણ ભરુચ ના રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી અરવિંદભાઇ પટેલ અને તેમની ટીમ, ગાયત્રી પરિવાર ના સભ્ય સતિષભાઇ ચતુર્વેદી અને પરિવારજનો તથા એન રીવાઇવ ગ્રુપના સભ્યોએ હાજર રહી વૃક્ષારોપણ કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રકૃતિ પ્રેમી અને પર્યાવરણ ની સંરક્ષણ,સંવર્ધન અને વિકાસ માટે સતતપણે જાગૃત એવા શ્રી નરેન્દ્રભાઈ એમ પટેલ નો તથા પ્રકાશ પટેલ નો ભગીરથ પ્રયત્ન રહ્યો હતો.

ko

Advertisement

Share

Related posts

” હર ઘર તિરંગા ” અંતર્ગત સુરતના કીમ વિસ્તારમાં વિદ્યાર્થીઓએ તિરંગા રેલી યોજી.

ProudOfGujarat

ભરૂચ : અંકલેશ્વરની આકાંક્ષા પેપર મિલમાં સરકારના વેરા અને દંડ ભરપાઈમાં કરોડોની ગફલત : ડિરેકટરો વિરૂદ્ધ રાજ્ય વેરા નિરીક્ષકે ફરિયાદ નોંધાવી.

ProudOfGujarat

નર્મદા જિલ્લાની ૨૦ સરકારી શાળાઓમાં છત પરથી વરસાદી પાણીને જમીનમાં ઉતારવા માટેના સૂચિત પ્રોજેક્ટના અમલમાં સહયોગી બનવા સૈદ્ધાંતિક મંજૂરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!