Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાત રાજય મહેસૂલી કર્મચારી મહામંડળનું કર્મચારીઓનાં પડતર પ્રશ્ને આવેદનપત્ર

Share

આજરોજ તા. 26-8-2019 રોજ ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના નેજા હેઠળ મહેસૂલી કર્મચારીઓની માંગણી અને પડતર પ્રશ્નોનાં નિકાલ માટે ભરૂચ જિલ્લા ક્લેક્ટરશ્રી મારફતે રાજ્યના અધિક મુખ્ય સચિવ સામાન્ય વહીવટ તથા અધિક મુખ્ય સચિવશ્રી મહેસૂલ વિભાગને આવેદનપત્ર આપવામાં આવેલ અને વિવિધ કાર્યક્રમ કરી જિલ્લા કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરવામાં આવેલ .
આવેદનપત્રમાં તલાટીઓ, ક્લાર્ક, મામલતદાર અને તમામ કર્મચારીઓની ભરતી તેમજ બઢતી અને બદલી પ્રમોશન જેવા પાયાના પ્રશ્નોનાં ઝડપી નિકાલ માટે રજૂઆત કરવામાં આવેલ છે. આવેદનમાં કર્મચારી મહામંડળ દ્વારા તેઓની વારંવારની રજૂઆતો છતાં કોઈ નિર્ણય ન લેવાતો હોય તેઓએ ના છૂટકે આ વિવિધ કાર્યક્રમ કરવાની ફરજ પડેલ છે. અને હજુ પણ કોઈ યોગ્ય નિરાકરણ ન આવે તો તા.29-08-2019 થી અચોક્કસ મુદતની હડતાળ કરવાની ચિમકી ઉચ્ચારેલ છે. આજ રોજ કર્મચારીઓએ માસ સી.એલ. મૂકી હડતાળની શરૂઆત કરી જ દીધી છે અને જેના પગલે કચેરીઓમાં આવતા અરજદરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને સરકાર કોમ્પુટર ઓપરેટરો પાસે કામ લઈ રહી હોય તેનાથી અરજદારોના પ્રશ્નોનું નિરાકરણ થતું ન હોય જેથી સરકાર સામે કર્મચારી મંડળ સહિત હેરાન થતી પ્રશ્નમાં પણ રોષ જોવા મળી રહેલ છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના ત્રણ રસ્તા શાકમાર્કેટ નજીક રિક્ષામાં બેસેલ મહિલાના ગળામાંથી સોનાની ચેઈનની ચોરી થતા પોલીસ ફરિયાદ નોધાઇ છે.

ProudOfGujarat

અંકલેશ્વરની શરણમ બંગ્લોઝમાં દશેરાના દિવસે રાવણ દહન કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

માંગરોળ પોલીસ મથકનાં પી.એસ.આઈ સહીત છ ને હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા અને પોલીસ મથકનો હવાલો પી.એસ.આઈ.એ.બી. મોરીને આપવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!