Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : તા.૪ ડીસેમ્બરે વાગરા તાલુકામાં કોવિડ-૧૯ રસીકરણની મેગા ડ્રાઈવ યોજાશે.

Share

કોરોનાની મહામારીમાં કોરોના જેવા ગંભીર રોગથી બચવા હાલ કોવિડ-૧૯ રસીકરણ જ એક માત્ર ઉત્તમ ઉપાય છે. કોરોના સામે લડવાની શક્તિમાં વધારો કરી શકાય તે માટે ૧૮ કે તેથી વધુ ઉંમરના તમામ નાગરિકોએ કોરોના વિરોધી રસી લેવી જરૂરી છે.

ભરૂચ જિલ્લાના તમામ તાલુકાઓમાં કોવિડ-૧૯ મહામારી અન્વયે રસીકરણ હાલ કાર્યરત છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં તા.૦૪/૧૨/૨૦૨૧ ને શનિવારના રોજ કુલ-૮૬ રસીકરણ કેન્દ્રો ખાતે અંદાજીત ૨૨૮૯૦ કોવિડ-૧૯ વેક્સિનેશનના ડોઝ આપવાનું આયોજન કરેલ છે. જિલ્લા કલેક્ટર તુષારભાઈ સુમેરા અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશભાઈ ચૌધરી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે.એસ.દુલેરા દ્વારા વાગરા તાલુકાની સમગ્ર જનતાને અપીલ કરી છે કે જે લોકોનો પ્રથમ ડોઝ કે બીજો ડોઝ લેવાનો બાકી હોય તેવા તમામ લાભાર્થીઓ આ મહાઝુંબેશનો લાભ લે અને સમાજને સુરક્ષિત કરવા સહભાગી બને.

Advertisement

Share

Related posts

નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ : ૬૫૦ થી વધુ લોકોનું સ્‍થળાંતર : અસરગ્રસ્‍તોને ફુડ પેકેટનું વિતરણ :

ProudOfGujarat

અંકલેશ્વરનાં જય અંબે ચેરીટેબલ ટ્રસ્ટનાં ટ્રસ્ટી અને તેમના મિત્રો દ્વારા સ્લમ વિસ્તારમાં એક હજાર જેટલા માસ્ક તેમજ ડેટોલ સાબુનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

હવે ફ્રેક્ચર થાય તો રહો ટેન્શન મુક્ત, મિનિટોમાં અહીંયા થઇ જશે આપનો ઇલાજ…વાંચો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!